SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ફૂલ-વિગેરે. પ્રત્યેક વનસ્પતિકાય-વૃક્ષ, ફૂલ, ફળ, તૃણુ, છાલ, કાષ્ઠ, પાંદડાં વિગેરે. આ એકેન્દ્રિ ચીને ફક્ત સ્પર્શેન્દ્રિય હોય છે. એઇન્દ્રિય—સ્પ અને રસેન્દ્રિયવાળા જીવા-શ'ખ, કાડા, જળા, લાળીયા, કરમીયા, પુરા વિગેરે. તેઇન્દ્રિય—સ્પર્શ', રસ અને ઘ્રાણેન્દ્રિયવાળા જીવા-કાનખજુરા, માંકડ, રૃ, કીડી, મકાડા, સાવા, ઘીમેલ, ઇયળ, ધનેડા વિગેરે. ચઉરિન્દ્રિય—સ્પ, રસ, ઘ્રાણુ અને નેત્રન્દ્રિયવાળા જીવા-વીંછી, ભમરા, તીડ, માખી, ડાંસ, મચ્છર, કાળિયા, ખડમાંકડી વિગેરે. પંચેન્દ્રિય- સ્પર્શ, રસ, ઘ્રાણુ, નેત્ર અને શ્રોત્રેન્દ્રિય તે ચાર પ્રકારના છે. નરક, તિર્યંચ, મનુષ્ય ને દેવ. ૧ નરકગતિ—અશુભતર અથવા અશુભતમ લેશ્યાદિ પરિણામવાળા નરકગતિરૂપ નામ કર્મના ઉદયથી હાય છે. નરક શબ્દની વ્યુત્પત્તિ એ છે કે-શીત, ઉષ્ણુ તેમજ અશાતાવેદ નીચના ઉડ્ડયથી આવી પડેલ પીડાથી જીવેને જે ખૂમ પડાવે છે તે નરક કહેવાય છે અથવા અતિશય દુઃખસ્થાનમાં જીવાને લઇ જવાય છે તે નરક કહેવાય છે. તેની સાથે સંબધ શખનારા જવા નારકા’કહેવાય છે. નારકાને ક્ષેત્રજન્ય, પરસ્પરજન્ય અને પરમાધામીકૃત એમ ત્રણ પ્રકારની વેદના ભેાગવવી પડે છે. નરકા સાત છે. રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને મહાતમઃપ્રભા, એ બૃહત્સગ્રણી ગાથા ૨૦૬. મેરુપર્વતની સમભૂતલા પૃથ્વીની નીચેના નવસે। ચેાજન પછીના ભાગ, જેના આકાર ઊંધા કરેલા શકારા જેવા એટલે નીચે નીચે વસ્તી જેવે છે તેવા અધેલેાકમાં તે આવેલી છે. તે દરેક નરકા એક ખીજાથી નીચે નીચે છે, અને લખાઇ પહેાળાઇમાં પણ એક એકથી વિશેષ છે. વળી દરેક એક બીજાને સ્પર્શીને રહેલ નથી, પરંન્તુ એક બીજી વચ્ચે વિશાળ અંતર છે અને તે અંતરમાં ઘનેષિ, ઘનવાત, તનવાત અને આકાશ હાય છે. નરકભૂમિના નામેા સહેતુક છે. પહેલીમાં રત્નની અધિકતા હોવાથી રત્નપ્રભા કહેવાય છે. એવી ર તે કાંકરાની પ્રધાનતાને લઈને શર્કરાપ્રભા. એ જ ક્રમે રેતી, કાદવ, ધૂમાડા, અધકાર અને ઘાર અંધકારની પ્રચુરતાને લઇને વાલુકાપ્રભા વિગેરે ના કહેવાય છે. સાતે નરકની ઉત્કૃષ્ટ આયુમર્યાદા અનુક્રમે ૧, ૩, ૭, ૧૦, ૧૭, ૨૨ અને ૩૩ સાગરે પમની છે, જયારે જધન્ય સ્થિતિ અનુક્રમે દશ હજાર વર્ષ, ૧, ૩, ૭, ૧૦, ૧૭ અને રર સાગરોપમની છે, ૨ તિય ચગતિ— તિર્યંચગતિ નામકમ'ના ઉદયને તિય સ્રગતિ કહેવાય છે. એકેન્દ્રિયથી ચરિન્દ્રિય સુધીના બધા તિય ચા કહેવાય તેમજ પ ંચેન્દ્રિય તિયચમાં તેના જળચર, સ્થળ ચર ને ખેચર એવા ત્રણ ભેદે છે. જળચરમાં મત્સ્ય, કાચો, ગ્રાહ, મગર વિગેરેના સમાવેશ થાય છે. સ્થળચરમાં ચતુષ્પદ ( ગાય, ભેંસ, અશ્વ, ઊંટ, મૃગ, હાથી વગેરે ) પરિસપ (સર્પ અજગર) અને ભુજરસપ ( નાળીએ, ઉંદર, ઘા, દર વિગેરે) એવા ભેદો છે,
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy