________________
परमाननाम्यानस्तासन्यस्माने यानी (૩૯) મનુષ્યગતિ સિવાય બાકીની ગતિમાં છવ શરૂઆતથી આરંભીને લાયક સમકિત ન પામે. (૪૦) ઉપશમ સમકિતવાળા છવ ચેથા ગુણસ્થાનકથી માંડીને ૧૧મા ગુણસ્થાન સુધી જાય. (૪) ક્ષપશમ સમકિતવાળો છવ ચેથા ગુણસ્થાનથી સાતમાં ગુણસ્થાન સુધી જાય.
(૪૨) પરિહારવિશુદ્ધિ ચારિત્રની જઘન્ય તપસ્યા કહે છે-ઉનાળામાં ચોથભકત (એક ઉપવાસ), શીયાળામાં છઠ્ઠ, ચોમાસામાં અઠ્ઠમ હોય છે. મધ્યમ તપસ્યા–ઉનાળામાં છઠ્ઠ, શીયાળામાં અટ્ટમ, માસામાં ચાર ઉપવાસ. ઉત્કૃષ્ટ તપસ્યા-ઉનાળામાં અદમ, શીયાળામાં ચાર ઉપવાસ, ચોમાસામાં પાંચ ઉપવાસ લખ્યા છે. પારણે આયંબીલ સ્થાનાંગ સૂત્ર, ત્રીજું અધ્યયન, એ ઉદ્દેશ, સૂત્ર ૨૦૬ની ટીકામાં.
(૪૩) પૃથ્વીકાય, કેવળ મિયાદષ્ટિ હેય. બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉન્દ્રિય, સમ્યગૂદષ્ટિ અને મિથ્યાદષ્ટિ હેય. જુઓ પ્રજ્ઞાપના સૂત્ર દ્વિતીય ભાગ, પૃ. ૮૪-૮૫, ભગવાનદાસ હરખચંદે બહાર પાડેલું.
(૪૪) પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યો, વ્યતર, જ્યોતિષ અને વિમાનિક, સમ્યગૃષ્ટિ, મિઠાદૃષ્ટિ, સમ્યગૂ મિથ્યાદષ્ટિ હોય. જુઓ. પ્રતાપના સૂત્ર, દ્વિતીય ભાગ પૃ. ૮૪-૮૫ ભગવાનદાસ હરખચંદ.
(૪૫) સિદ્ધના છ સભ્ય_દષ્ટિ હેય. જુઓ પ્રજ્ઞાપના સૂત્ર દ્વિતીય ભાગ. પૃ. ૮૪-૮૫ ભ. હ. વાળું
(૪૬) અકર્મભૂમિના મનુષ્યો તથા તેમની સ્ત્રીઓને કૃષ્ણલેસ્યાથી તેજલેશ્યા સુધી હેય તથા અંતfપના મનુષ્યને પણ તેમ જ હોય. જુઓ, પ્રજ્ઞાપના સૂત્ર, દ્વિતીય ભાગ. પૃ. ૧૧-ર૬ ભ. ઢ. વાળું.
(૪૭) મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસપણું ભવ્યપણું, સંસીપણું, યથાખ્યાત ચારિત્ર, ક્ષાયિક સમકિત, અનાહારીપણું, કેવળજ્ઞાન, કેવળદર્શન, બાસઠ માર્ગણ પૈકી આ દસ માર્ગણુએ છવો મોક્ષે જાય છે.
(૪૮) સચિત્ત ત્રણ પ્રકારના છે. ક્રિપદ, ચતુષ્પદ, અપ, દ્વિપદમાં જિનેશ્વર ભગવંત, ચતુષદમાં સિંહાદિ તિર્ય, અપદમાં કલ્પવૃક્ષ, જુઓ, આચારાંગ સૂત્રના કસાર અધ્યયનની નિર્યુકિતની વૃત્તિમાં.
(૪૯) યુગલિક છ પ્રકારના હોય છે. પાસમાન ગંધવાળા, કસ્તુરી સમાન ગંધવાળા, મમકાર વિનાના તેજવાળું તલ તેમજ રૂપ હેવાથી તેજસ્તલિન , સમર્થ, અને મંદપણે ચાલનાર. જુઓ શ્રી ભગવતીના છઠ્ઠા શતકના સાતમા ઉદ્દેશામાં
(૫૦) એક ભવની અંદર પણ કોઈ જીવ ત્રણ વેદને અનુભવે છે. કપિલ નામના શિષ્ય ત્રણ વેદને અનુભવ્યા છે. જુઓ. નિશીથ ચૂર્ણિની પીઠિકામાં એનું વૃત્તાંત છે.
(૫૧) એકી સાથે જીવ કેટલા કર્મ બાંધે? આઠ બાંધે, સાત બાંધે, છ બાંધે તથા એક બાંધે. તે સિવાય બે, ત્રણ, ચાર અને પાંચ બાંધે નહિ. - (૫૨) એક કમને બંધ કયા ગુણસ્થાને હોય? અગ્યારમાં, બારમા અને તેરમા ગુણસ્થાને હેય.
* (૫૩) ઊોમાંથી એક સમયમાં ઉત્કૃષ્ટપણે ચાર સિદ્ધ થાય, એમ શ્રી દ્રવ્યલોકપ્રકાશ સર્ગ ૨, સેક ૯૫ માં તથા સંગ્રહણી સૂત્રમાં લખ્યું છે.
(૫૪) અધેલકમાંથી એક સમયમાં ઉત્કૃષ્ટપણે વશ સિદ્ધ થાય એમ શ્રીઉત્તરાધ્યયન સૂત્રના છવાજીવ વિભકિત અધ્યયનમાં કહ્યું છે. સંગ્રહણી સૂત્રમાં ૨૨ સિદ્ધ થાય તેમ કહ્યું છે. તથા સિદ્ધપ્રાભૂતમાં ૪૦ સિદ્ધ થાય એમ કહ્યું છે.