SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. કર્યો. તેવામાં તેની પાછળ જ યુદ્ધ કરતા આવતા વિદ્યાધરીએ સૈનિકે અને વેતાલે તે દશ્ય જોતાં, વિદ્યાધરીઓ બેલી કે– “ અહે! આપણી કંચુકીને ચરનાર એકદમ કૂદકે મારીને આ ચિતાગ્નિમાં કેમ પેઠે?” વેતાલે પણ વિચાર કર્યો કે–અહા! આ શું થયું કે જેની રક્ષા માટે હું યુદ્ધ કરવા તૈયાર થયે, તે અગ્નિમાં કેમ પેઠે?” એમ બંને સૈન્ય યુદ્ધ કરવામાં શિથિલ થતાં નર્મદાના કાંઠે આવ્યાં કે જ્યાં લેકે રૂદન કરતા હતા. ત્યાં ઉત્તર દિશામાં વિદ્યાધરીઓના હાથી વિગેરેને ગરવ તથા દક્ષિણ દિશામાં વેતાલનું અટ્ટહાસ્ય સાંભળતાં એકદમ વસ્ત્રાંચલથી મુખ ઢાંકી, બંને બાજુ સૈન્ય દેતાં લેકે તરતજ ભાગી ગયા, અને “આ શું?” એમ સંભ્રાંત થયેલા તે બધા દૂર દૂર ઉભા રહી ચિતા તરફ આવતી તે બંને સેનાને જોવા લાગ્યા. વળી, “આ લેકે ચિતા તરફ ધસી આવીને શું કરશે?” એમ ધારી એકી નજરે જોતાં તેઓ ઉંચા સ્થાને ચીને પરસ્પર બેલવા લાગ્યા. તેવામાં રાજા સૈન્ય સજજ કરી સત્વર વિદ્યાધરીના સૈન્ય સામે લડવા આવ્યો. ત્યાં વિદ્યાધરી-સૈન્ય, ચિતાની તરફ રહેલ તથા જમીન પર પડેલ યંત્રમયૂર અને કંચુકી તેણે જોયાં. એવામાં પડ્યાવતી સહિત આરામનંદનને અક્ષતાંગ જોતાં “અહો ! અહે! આશ્ચર્ય ! કે આ અગ્નિમાં પેઠા છતાં જળની જેમ પ્રિયા સહિત અક્ષતાંગ.” એમ ઉંચેથી બોલતી વિદ્યાધરી–સેનાને સાંભળી, કૌતુકથી રાજા તથા અન્ય લેકે પણ ત્યાં આવ્યા. એટલે પદ્માવતીના સતીવ્રતથી શીતલ બનેલ ચિતાગ્નિથકી આરામનંદન બહાર આવ્યું અને રાજાને તેણે જુહાર કરતાં, ભારે પ્રભેદથી રાજાએ તેને ભેટી પડતાં સંક્ષેપથી કંચુકાદિકને વૃત્તાંત પૂ. પછી ભારે આનંદ પામતાં પ્રમેદાશ્રુથી ઓતપ્રોત લચને, બાહુ પહોળા કરી, આલિંગન દઈને તે માતપિતાને નમે. વળી માતપિતાએ આલિં
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy