SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ : પ્રબંધ-રેજો અધિકારપમો (३६) भवस्वरूपविज्ञानाद् द्वेषान्नैर्गुण्यदृष्टिजात् । तदिच्छोच्छेदरूपं द्राग् वैराग्यमुपजायते ।।१।। અર્થ : સંસારના સ્વરૂપનું જ્ઞાન થવાથી “સંસાર નિર્ગુણ છે એવી સ્પષ્ટ) દષ્ટિ પ્રાપ્ત થાય. એવી દષ્ટિ પ્રાપ્ત થયા પછી એ સંસાર ઉપર દ્વેષ (અરૂચિ) ઉત્પન્ન થાય. અને એ નફરતમાંથી સંસારભોગની ઈચ્છાનો નાશ થાય. આ “ભવેચ્છાનાશ એ જ વૈરાગ્ય છે. ટૂંકમાં અનાસક્તિ એ જ વૈરાગ્ય. (૩૭) વિષઃ ક્ષીય માનો નેસ્થરિવ પાવ ! प्रत्युत प्रोल्लसच्छक्तिर्भूय एवोपवर्द्धते ।। ४।। અર્થ: રે ! વિષયોના ભોગ માણવાથી તે શું કામરાગ નાશ પામી જતો હશે? નાશ પામવાની વાત તો દૂર રહી પણ અગ્નિમાં ઈન્ધન નાંખતા જેમ અગ્નિ વધુ ને વધુ ભડકે બળે તેમ આ કામ પણ વિષય ભોગથી તો વધુ બળવાન બની જઈને વધુ ને વધુ પ્રજ્વળે છે. (३८) सौम्यत्वमिव सिंहानां पन्नगानामिव क्षमा । विषयेषु प्रवृत्तानां वैराग्यं खलु दुर्लभम् ।।५।। અર્થ: નહિ, નહિ. વિષયસુખની સિદ્ધિથી વૈરાગ્ય સંભવે જ નહિ. વિષયમાં પ્રવૃત્ત હોય અને વિષયોથી વિરક્ત હોય ? એ શી રીતે બને? જો વનકેસરીમાં સૌમ્યતા જોવા મળે, જો કાળોતરા નાગમાં ક્ષમા જોવા મળે તો વિષયોમાં પ્રવૃત્ત બનેલા આત્મામાં વૈરાગ્ય મળે ! રે ! વિષયભોગીને વૈરાગ્ય ! અતિ દુર્લભ ઘટના ! (૩૨) કૃત્વા વિષયત્યા પો વેરા વિધતિ अपथ्यमपरित्यज्य स रोगोच्छेदमिच्छति ।।६।। અર્થ : વિષયના ભોગ છોડ્યા વિના વૈરાગ્યની સાધના કરવાની ઈચ્છા રાખનારો કુપથ્યને છોડ્યા વિના રોગનાશને ઈચ્છતા દરદી જેવો કહેવાય ! જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૧૦
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy