SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થોનો જે સાધુ વસ્ત્ર, પાત્ર વગેરે આ લોકના ફળો મેળવવા પરિચય કરતો નથી તે ભિક્ષુ કહેવાય. (६१) सयणासणपाणभोअणं, विविहं खाइमसाइमं परेसिं । अदए पडिसेहिए निगंठे, जे तत्थ न पदूसई स भिक्खू ।। અર્થ : શ્રાવકો, ગૃહસ્થો શયન, આસન, પાન, ભોજન, વિવિધ ખાદિમ સ્વાદિમ સાધુને ન પણ આપે, સાધુને આપવાની ના પાડી દે તો પણ જે નિર્ઝન્થ તેઓ ઉપર દ્વેષ ન કરે તે સાચો ભિક્ષુ કહેવાય. (६२) जं किंचि आहारपाणं विविहं खाइमसाइमं परेसिं लर्छ । जो तं तिविहेण नाणुकंपे मणवयकायसुसंवुडे स भिक्खू ।। અર્થ: જે સાધુ ગોચરીમાં ગૃહસ્થો પાસેથી જે કંઈક આહાર, પાન, વિવિધ ખાદિમ, સ્વાદિમ મેળવ્યા પછી મન-વચન-કાયાથી પોતાના ગચ્છના બાળ-વૃદ્ધ-ગ્લાન-તપસ્વી વગેરેની વૈયાવચ્ચ-ભક્તિ ન કરે એ સાધુ ન કહેવાય. પણ જે મન-વચન-કાયાનો સંવર કરી વૈયાવચ્ચ-ભક્તિ કરે તે ખરો સાધુ કહેવાય. (૬૩) પાયામાં વેવ નવો વ તી સોવીર નવો ૨ | नो हीलए पिंडं नीरसं तु, पंतकुलाणि परिव्वए स भिक्खू ।। અર્થ : ગોચરીમાં ઓસામણ, જવનું ભોજન, ઠંડુ ભોજન, કાંજી, જવનું ધોવાણવાળું પાણી વગેરે જે નીરસ પિંડ મળે, સાધુએ તે રસહીન પિંડની હીલના ન કરવી જોઈએ. અને એવા દરિદ્ર ઘરોમાં ભિક્ષા લેવા જવું જોઈએ. તો જ એ ખરો ભિક્ષુ ગણાય. (૬૪) નં વિવિત્તમUફન્ન રહિયં થી નખ ય | बंभचेरस्स रक्खट्ठा, आलयं तु निसेवए ।। અર્થ : જે ઉપાશ્રય ગૃહસ્થોના ઘરો વગેરેથી ઘેરાયેલ ન હોય પણ અલાયદો હોય, લોકોની વધારે પડતી અવરજવર વિનાનો હોય, જે ઉપાશ્રયમાં સ્ત્રીઓ ન હોય. બ્રહ્મચર્યની રક્ષા માટે સાધુ આવા ઉપાશ્રયમાં રહે. (६५) मणपल्हायजणणिं कामरागविवड्ढणिं । बंभचेररओ भिक्खू, थीकहं तु विवज्जए ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્) ૧૧૩
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy