SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાવાળા એવા શ્રેણિકાદિ લાખો લોકો સંસારના સુખોમાં મૂચ્છિત થયેલા છે. તું તો એ બધું જ ત્યાગી સંયમી બન્યો છે. તો ગૌતમ ! એક ક્ષણ પણ હવે પ્રમાદ ન કરીશ. (४२) परिजूरइ ते सरीरयं केसा पांडुरया हवेति ते । से सव्वबले अ हायई समयं गोयम ! मा पमायए ।। અર્થ : કે ગૌતમ ! પ્રત્યેક ક્ષણે તારું શરીર ઘરડું થતું જાય છે. તારા વાળો ધોળા થઈ રહ્યા છે. તારી પાંચેય ઈન્દ્રિયો હવે નિર્બળ બનવા લાગી છે. માટે જ હવે ક્ષણ પણ પ્રમાદ ન કરીશ. (४३) वोच्छिंद सिणेहमप्पणो कुमुअं सारइअं वा पाणियं । से सव्वसिणेहवज्जिए समयं गोयम ! मा पमायए ।। અર્થ : શરદઋતુમાં ઉગેલું કમળ જેમ પાણીને છોડીને ઉપર આવી જાય છે એમ તું તારા આત્મામાં પડેલા સ્નેહને-રાગને છેદી નાંખ. અને એ રીતે સર્વસ્નેહનો ત્યાગ કરી વીતરાગ બન. ગૌતમ ! આ સંબંધમાં ક્ષણવાર પણ પ્રમાદ ન કરીશ. (४४) चिच्चा धणं च भारिअं पव्वईओ हि सि अणगारिअं । मा वंत्तं पुणोवि आविए समयं गोयम ! मा पमायए ।। અર્થ : સંસારમાં પુષ્કળ ધન અને પત્નીને છોડીને તેં સાધુતાનો સ્વીકાર કર્યો છે તો હવે એ વમી નાંખેલા વિષયસુખોને ફરી ચાટવાની ભૂલ ન કરીશ. ગૌતમ ! ક્ષણવાર પણ પ્રમાદ ન કરીશ. (४५) अवउज्झिअ मित्तवंधवं विउलं चेव धणोहसंचयं । मा तं बिइअं गवेसए समयं गोयम ! मा पमायए ।। અર્થ : તેં તારા મિત્રો છોડ્યા, ભાઈઓ, સ્વજનો, માત-પિતાઓ પણ છોડ્યા. તારો વિપુલ ધનસંચય પણ છોડી દીધો. હવે અહીં આવી પાછો એ માતાપિતાદિ સ્વજનો તરફ, ધન તરફ નજ૨ ન કરીશ. ગૌતમ ! ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરીશ. ( ४६ ) तिन्नो हु सि अण्णवं महं किं पुण चिट्ठसि तीरमागओ । अभिरं पारंगमित्त समयं गोयम ! मा पमायए ।। (ઉત્તરાધ્યયન સૂત્રમ્) - જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો |+||||||||÷÷÷÷÷÷÷††††††††÷÷÷÷÷÷÷♪♪♪♪♪♪÷÷÷÷÷÷÷÷÷÷÷↓↓↓↓↓↓↓↓↓↓↓ ૧૦૯
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy