SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ -~~~-~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ -~~-~જૈનેતરોની નિર્દોષ ગોચરી વાપરતા. બીજા બધાને દૂર સુધી જૈનેતરોમાં જવાની અનુકૂળતા ન હોવાથી અને ઉનાળો પણ ભારે હોવાથી તેઓ ભોજનશાળાની મિશ્રકક્ષાની ગોચરી વાપરતા. ભોજનશાળાની ગોચરી ૧૨-૩૦ આસપાસ આવી જાય, એક વાગ્યા સુધીમાં એ ગોચરી પૂરી થવા આવે, ત્યારે જૈનેતરોમાં જતા મુનિવર નિર્દોષ ગોચરી લઈને આવે... આ રીતે બે માંડલી આગળ-પાછળ થઈ ગયેલી. | મુનિવરને એવી ભાવના ખરી કે પૂ.આચાર્ય ભ.ની ભક્તિનો લાભ મળે.... પણ એ આવે... ત્યારે તો પૂ.આચાર્ય ભીની ભક્તિનો લાભ મળે... પણ એ આવે ત્યારે તો પૂ.આચાર્ય ભ.ની ગોચરી પૂરી જ થઈ ગઈ હોય.. એટલે આજે સહજ રીતે મુનિના મુકેથી પશ્ચાત્તાપના શબ્દો સરી પડ્યા. પૂ.આચાર્ય ભ.ની ગોચરી થઈ ગયેલી, મંજન પણ કરી લીધેલું... છતાં એમણે ચેતનો ખોલીને સીંગદાણાનો એક દાણો પોતાના મોઢામાં મૂકી ધીધો. પેલા મુનિના ભાવ સાચવવા માટે... અને આંખથી જ જવાબ આપી દીધો “હવે તો સંતોષ ને...” પૂ. આચાર્ય ભ.ના ગયા બાદ એમના શિષ્ય કહ્યું “મુનિવર! તમારો પ્રચંડ ભાગ્યોદય કહેવાય. બાકી અમારા ગુરુદેવ મંજન થઈ ગયા બાદ ક્યારેય પણ એકપણ દાણો મોઢામાં ન નાંખે. એમને ઓપરેશન કરાવેલું છે દાંતનુંએટલે ડૉક્ટરે સ્પષ્ટ સૂચના કરી છે કે રોજ ખાધા પછી મંજન કરી લેવાનું. નહિ તો જો દાણો ફસાશે, તો વળી ઉપાધિ થશે... એટલે મંજન બાદ ભાતનો દાણો ય મોઢામાં ન નાંખે.. પણ તમારા ઉછળતા ભક્તિભાવ સાચવવા સંગીનો કડક દાણો લઈ લીધો...' પેલા મુનિને તો ખૂબ આનંદ થયો. સાંજે બધા વંદન માટે ભેગા થયા, ત્યારે મુનિએ પૂ.આચાર્ય ભ.ની પ્રશંસા કરી. “આપે મારા ભાવ સાચવવા ખાતર આ રીતે કર્યું, ખૂબ અનુમોદના!” એ વખતે આચાર્યશ્રીએ નિખાલસતા સાથે જવાબ આપ્યો “જુઓ મહારાજ! મને કશી તકલીફ પડે એમ નથી. દાંતમાં દાણો ભરાય, તો તકલીફ પડે. દાણો ક્યારે ભરાય ? એને ચાવીએ તો ને ? મેં ચાલ્યું જ નથી, એમને એમ દાણો ગળી જ ગયો છું. એટલે બે ય કામ થઈ ગયા. તમારી ભાવના પણ સચવાઈ ગઈ અને મારા દાંત પણ બચી ગયા...' (કોઈકને કોઈક દિવસ આપણી ભક્તિ કરવાના ભાવ જાગે, તો એને તોડવા નહિ. એનો ઉલ્લાસ વધવા દેવો, એ વખતે આપણે થોડુંક સહન કરવું પડે. કંઈક ગૌણ કરવું પડે તો કરવું. આપણી એ સંબંધમાં બાધા હોય, તો પણ ફિકર શાની ? વડીલને પૂછી લેવું. વિશેષ કારણસર વડીલ બાધામાં છૂટ આપે તો એ સ્વીકારવી. દા.ત. કોઈકને દીક્ષાદિવસે બાધાનું પડિલેહણ કરવું હોય, અને એ વખતે આપણને જાતે જ પડિલેહણ કરવાની બાધા હોય. તો વડીલ કહે એ પ્રમાણે કરવું...) ૧૦
SR No.022596
Book TitleVishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2016
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy