SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧. આ ક્ષણે જ જાણી લે કે સમ્યજ્ઞાન મળવું ઘણું જ અઘરું છે, તેથી પોતાના હિતનો વિચાર કરે, એમ જિનેશ્વરે કહ્યું છે અને આમ જ બાકીના જિનો કહેશે. ૧૬૨. ભવિષ્યના, ભૂતકાળે થયેલા, અને વર્તમાનકાળે સુવ્રતધારી થશે. કાશ્યપના ધર્મના આચરણ કરતા જીવો માટે આ પ્રમાણે ગુણો કહ્યા છે. ૧૬૩. ત્રણ રીતે જીવહિંસા ન કરે, સુવ્રતધારી આત્માર્થે નિયાણા ન કરે. આમ સઘળા સિદ્ધ જીવો કે જે અનંત છે, તેમાં વર્તમાન, ભૂત અને ભવિષ્ય કાળના સિદ્ધો આવી જાય છે. ૧૬૪. આ પ્રમાણે અરહંત ભગવાન વૈશાલીના જ્ઞાતપુત્રે કહ્યું છે તે શ્રેષ્ઠ જ્ઞાની અને શ્રેષ્ઠ દર્શનયુક્ત સર્વશ્રેષ્ઠ જ્ઞાન દર્શન ધરે છે. આમ જિનવર ભગવંતે ઉત્તમ કર્મ વિદારણ કહ્યું છે. જે તેનું આચરણ કરે છે તે કર્મક્ષય કરી શિવ ગતિ તરફ જાય છે. આમ હું કહું છું. ત્રીજો ઉદ્દેશ પૂરો થયો. અધ્યયન બીજાં પૂરું થયું. 43
SR No.022567
Book TitleSutrakritang Skandh 01
Original Sutra AuthorN/A
AuthorKantilal Kapadia
PublisherKantilal Kapadia
Publication Year2005
Total Pages180
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy