SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૫ સ્યાદ્વાદ અને સપ્તભંગી શ્રીવિજ્ઞાનભિક્ષુ અને સ્યાદ્વાદ બ્રહ્મસૂત્રના વિજ્ઞાનામૃત ભાષ્યમાં દિગમ્બરોના સ્યાદ્વાદને અવ્યવસ્થિત દર્શાવતા વિજ્ઞાનભિક્ષુ લખે છે કે “પ્રકારભેદ વિના બે વિરુદ્ધ ધર્મ એક સાથે નથી રહી શકતા. જો પ્રકારભેદ માનશો તો અમારો જ મત થઈ જશે અને તેમાં બધી વ્યવસ્થા બની શકે છે, તો પછી આપ દિગમ્બરો અવ્યવસ્થિત તત્ત્વ શા માટે માનો છો ?'' પરંતુ સ્યાદ્વાદ સિદ્ધાન્તમાં અપેક્ષાભેદે પ્રકારભેદનો અસ્વીકાર ક્યાં છે ? સ્યાદ્વાદનો પ્રત્યેક ભંગ પોતાના નિશ્ચિત દૃષ્ટિકોણથી તે ધર્મનું અવધારણ કરીને પણ વસ્તુના અન્ય ધર્મોની ઉપેક્ષા થવા દેતો નથી. એક નિર્વિકાર બ્રહ્મમાં પરમાર્થતઃ પ્રકારભેદ કેવી રીતે ઘટી શકે ? અનેકાન્તવાદ તો વસ્તુમાં સ્વભાવસિદ્ધ અનન્ત ધર્મ માને છે. તેમાં અવ્યવસ્થાનો લેશમાત્ર નથી. તે ધર્મોનું વિભિન્ન દષ્ટિકોણોથી માત્ર વર્ણન થાય છે, સ્વરૂપ તો તેમનું સ્વતઃ સિદ્ધ છે. પ્રકારભેદથી ક્યાંક એક સાથે બે ધર્મો માની લેવાથી જ કંઈ વ્યવસ્થાનો ઈજારો લઈ શકાતો નથી. અનેકાન્તતત્ત્વની ભૂમિકા જ સમસ્ત વિરોધોનો અવિરોધી આધાર બની શકે છે. શ્રી શ્રીકચ્છ અને અનેકાન્તવાદ શ્રીકઠાચાર્ય પોતાના શ્રીકઠભાષ્યમાં પેલી જ પુરાણી વિરોધવાળી દલીલ પુનઃ રજૂ કરતાં કહે છે કે “જેમ પિંડ, ઘટ અને કપાલ અવસ્થાઓ એક સાથે હોઈ શકતી નથી તેવી જ રીતે અસ્તિત્વ અને નાસ્તિત્વ આદિ ધર્મ પણ એક સાથે હોઈ શકતા નથી. પરંતુ એક દ્રવ્યના કાળક્રમે થનારા પર્યાયો યુગપતુ સંભવતા ન હોય તો ભલે ન સંભવે પણ જે સમયે ઘડો સ્વચતુથી સત્ છે તે જ સમયે તેના પટ १. अपरे वेदबाह्या दिगम्बरा एकस्मिन्नेव पदार्थे भावाभावौ मन्यन्ते ... सर्वं वस्त्वव्यवस्थितमेव स्यादस्ति स्यान्नास्ति... अत्रेदमुच्यते नैकस्मिन् यथोक्तभावाभादिरूपत्वमपि । कुतः ? असंभवात् । प्रकारभेदं विना विरुद्धयोरेकदा सहावस्थानसंस्थानासम्भवात् । प्रकारभेदाभ्युपगमे वास्मन्मतप्रवेशेन सर्वैव व्यवस्थास्ति થવ્યવસ્થિત નવમ્યુપામ્યતે મવદ્ધિત્યિર્થ. 1 વિજ્ઞાનામૃતભાષ્ય, ૨.૨.૩૩. जैना हि सप्तभङ्गीन्यायेन... स्याच्छब्द ईषदर्थः । एतदयुक्तम् । कुतः ? एकस्मिन् वस्तुनि सत्त्वासत्त्वनित्यत्वानित्यत्वभेदाभेदादीनामसंभवात् । पर्यायभाविनश्च द्रव्यस्यास्तित्वनास्तित्वादिशब्दबुद्धिविषयाः परस्परविरुद्धाः पिण्डत्वघटत्वकंपालવીદ્યવસ્થાવત્ યુગપન સંમતિ / મતો વિરુદ્ધ વ નવઃિ | શ્રીકઠભાષ્ય, ૨.૨.૩૩.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy