SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ જૈનદર્શન સ્યાદ્વાદ વિશિષ્ટ ભાષાપદ્ધતિ સ્યાદ્વાદ સુનયનું નિરૂપણ કરનારી વિશિષ્ટ ભાષાપદ્ધતિ છે. “સાત’ શબ્દ સુનિશ્ચિતપણે દર્શાવે છે કે વસ્તુ કેવળ આ ધર્મવાળી જ નથી, તેનામાં તેનાથી અતિરિક્ત બીજા અનેક ધર્મો પણ વિદ્યમાન છે. તેમાં અવિવણિત ગુણધર્મોના અસ્તિત્વની રક્ષા “ચા” શબ્દ કરે છે. “પવાનું ધટ: માં “સ્વાત’ શબ્દ “રૂપવાનું શબ્દની સાથે જોડાતો નથી કેમ કે રૂપના અસ્તિત્વનું સૂચન તો “રૂપવા” શબ્દ પોતે જ કરી રહ્યો છે, પરંતુ અન્ય અવિવલિત શેષ ધર્મો સાથે તેનો અન્વય છે. તે રૂપવાનને પૂરા ઘડા પર અધિકાર જમાવતાં રોકે છે અને સાફ કહી દે છે કે “ઘડો બહુ મોટો છે, તેમાં અનન્ત ધર્મો છે, રૂપ તો તેમનામાંનો એક છે.” જો કે રૂપની વિવેક્ષા હોવાથી અત્યારે રૂપ આપણી દૃષ્ટિમાં મુખ્ય છે અને તે જ શબ્દ વડે વાચ્ય બની રહ્યો છે પરંતુ જ્યારે રસની વિવક્ષા હશે ત્યારે રૂપ ગૌણરાશિમાં સામેલ થઈ જશે અને રસ મુખ્ય બની જશે. આમ બધા શબ્દો ગૌણમુખ્યભાવથી અનેકાન્ત અર્થના પ્રતિપાદક છે. આ સત્યનું ઉદ્ઘાટન “સ્યાત્' શબ્દ સદા કરતો રહે છે. અમે પહેલાં બતાવી દીધું છે કે “સાત’ શબ્દ એક સજાગ પ્રહરી છે, જે ઉચ્ચરિત ધર્મને આમ તેમ જવા દેતો નથી. તે અવિવક્ષિત ધર્મોના અધિકારનો સંરક્ષક છે. તેથી જે લોકો “સ્યાનો “રૂપવાનું” સાથે અન્વય કરીને અને તેનો શાયદ (હિંદી), સંભાવના અને કદાચ” અર્થ કરીને ઘડામાં રૂપની સ્થિતિને પણ સંદિગ્ધ બનાવવા ઇચ્છે છે તેઓ વસ્તુતઃ પ્રગાઢ ભ્રમમાં છે. તેવી જ રીતે 'ચાતું ગતિ ઘટઃ વાક્યમાં ‘તિ જણાવે છે કે આ અસ્તિત્વ અંશ ઘટમાં સુનિશ્ચિતપણે વિદ્યમાન છે. “યાત’ શબ્દ તે અસ્તિત્વની સ્થિતિને નબળી નથી બનાવતો, પરંતુ તેની વાસ્તવિક આંશિક સ્થિતિને સૂચવીને અન્ય નાસ્તિ આદિ ધર્મોના ગૌણ સદ્ભાવનું પ્રતિનિધિત્વ કરે છે. તેને ડર છે કે રખેને અસ્તિ નામનો ધર્મ, જેને શબ્દ દ્વારા ઉચ્ચરિત હોવાના કારણે પ્રધાનતા મળી છે તે, પૂરી વસ્તુને જ હડપ કરી જાય અને પોતાના અન્ય નાસ્તિ આદિ સહયોગીઓના સ્થાનને સમાપ્ત કરી દે. તેથી તે પ્રત્યેક વાક્યમાં ચેતવણી દે છે કે “હે ભાઈ અસ્તિ, તું વસ્તુનો એક અંશ છે, તું તારા પોતાના અન્ય નાસ્તિ આદિ ભાઈઓના હકને હડપ કરી જવાની કુચેષ્ટા ન કરતો.” આ ભયનું કારણ એ છે કે પ્રાચીન કાળથી “નિત્ય જ છે' “અનિત્ય જ છે' આદિ હડપ કરી જવાની પ્રકૃતિવાળા અંશવાક્યો વસ્તુ પર પૂર્ણ અધિકાર જમાવીને અનધિકાર ચેષ્ટા કરતા આવ્યા છે અને જગતમાં અનેક જાતના વિતંડા અને સંઘર્ષ ઉત્પન કરતા રહ્યા છે. તેના પરિણામે પદાર્થની સાથે તો
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy