SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૩ સ્યાદ્વાદ અને સપ્તભંગી શબ્દ “શાયદ અર્થમાં પ્રચલિત થઈ ગયો છે, પરંતુ આપણે તેની તે નિર્દોષ પરંપરાને અનુસરવી જોઈએ જેના કારણે “ચાત્' શબ્દ સત્યલાંછન અર્થાત્ સત્યનું ચિહન યા પ્રતીક બન્યો છે. “ચાત્' શબ્દ કથંચિતના અર્થમાં વિશેષપણે ઉપયુક્ત બને છે. કથંચિત્ એટલે “અમુક નિશ્ચિત અપેક્ષાએ વસ્તુ અમુક ધર્મવાળી છે. સ્યા' શબ્દ ન તો “શાયદ”નો પ્રતિપાદક છે કે ન તો “સંભાવનાનો કે ન તો કદાચિત્નો , પરંતુ તે તો “સુનિશ્ચિત દષ્ટિકોણ'નો વાચક છે. શબ્દનો સ્વભાવ છે કે તે અવધારણાત્મક હોય છે, તેથી અન્યનો પ્રતિષેધ કરવામાં તે નિરંકુશ હોય છે. આ અન્યના પ્રતિષેધ ઉપર અંકુશ મૂકવાનું કામ “સ્માત’ શબ્દ કરે છે. તે કહે છે કે “રૂપવાનું ઘટે: (ઘડો રૂપવાળો છે)' વાક્ય ઘડાના રૂપનું પ્રતિપાદન ભલે કરે, પરંતુ “ઘડો રૂપવાન જ છે આ પ્રમાણે અવધારણ કરીને ઘડામાં રહેનાર રસ, ગબ્ધ આદિનો પ્રતિષેધ તો ન કરી શકે. તે પોતાના સ્વાર્થને મુખ્યપણે કહે ત્યાં સુધી કોઈ જ હાનિ નથી, પરંતુ જો તે તેનાથી આગળ વધીને “પોતાના સ્વાર્થને જ સર્વ કંઈ માનીને બાકીના બધાનો નિષેધ કરે તો તેનું આમ કરવું અન્યાપ્ય છે અને વસ્તુસ્થિતિનો વિપર્યાસ કરવો છે. “સાત” શબ્દ આ અન્યાયને રોકે છે અને ન્યાપ્ય વચનપદ્ધતિને સૂચવે છે. “ચાત્' પ્રત્યેક વાક્યની સાથે અન્તર્ગર્ભ રહે છે અને ગુપ્ત રહીને પણ પ્રત્યેક વાક્યને ગૌણમુખ્યભાવ દ્વારા અનેકાન્ત અર્થનું પ્રતિપાદક બનાવે છે. સ્યા’ નિપાત છે. નિપાતો ઘાતક પણ હોય છે અને વાચક પણ. જો કે “સ્યાત” શબ્દ અનેકાન્ત સામાન્યનો વાચક હોય છે તેમ છતાં “અસ્તિ' આદિ વિશેષ ધર્મોનું પ્રતિપાદન કરવા માટે અતિ આદિ તે તે ધર્મના વાચક શબ્દોનો પ્રયોગ કરવો જ પડે છે. તાત્પર્ય એ કે 'ચાત ગતિ’ વાક્યમાં “અસ્તિ' પદ અસ્તિત્વ ધર્મનું વાચક છે અને “સ્યાત્’ પદ અનેકાન્તનું. “સ્માત પદ તે સમયે અસ્તિથી ભિન્ન અન્ય શેષ ધર્મોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે “ચાત્' અનેકાન્તનું ઘોતન કરે છે ત્યારે “અસ્તિ' આદિ પદોના પ્રયોગથી જે અસ્તિત્વ આદિ ધર્મોનું પ્રતિપાદન કરાય છે તે “અનેકાન્તરૂપ છે એ ઘોતન “સ્મા’ શબ્દ કરે છે. જો તે “સ્માત' પદ ન હોય તો “સર્વથા અસ્તિત્વ' રૂપ એકાન્તની શંકા થાય છે. જો કે “સા' અને કથંચિતનો અનેકાન્તાત્મક અર્થ આ શબ્દોનો પ્રયોગ ન કર્યો હોય તો પણ કુશલ વક્તા સમજી જાય છે, પરંતુ વક્તાને જો અનેકાન્ત વસ્તુનું દર્શન ન હોય તો તે એકાન્તમાં ભટકે છે. તેથી તેને વસ્તુતત્ત્વ પર આવવા માટે આલોકસ્તંભની (દીવાદાંડીની) જેમ આ “સ્યાત્’ જ્યોતિની નિતાન્ત આવશ્યકતા છે.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy