SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ જૈનદર્શન લઈને કરવામાં આવ્યો છે. પાંચ રૂપોમાં અસ–તિપક્ષત્વનો નિર્દેશ “વિવક્ષિતૈકસખ્યત્વ' શબ્દથી કરવામાં આવ્યો છે. અસત્કૃતિપક્ષ એટલે જેનો કોઈ પ્રતિપક્ષી હેતુ - વિદ્યમાન ન હોય, જે અપ્રતિદ્વન્દી હોય અને વિવક્ષિતૈકસંખ્યત્વનો પણ આ જ અર્થ છે એટલે કે જેની એક સંખ્યા હોય, જે એકલો હોય, જેનો કોઈ પ્રતિપક્ષી ન હોય. પડુલક્ષણ હેતુમાં જ્ઞાતત્વરૂપને પૃથક કહેવાની કોઈ આવશ્યકતા નથી કેમ કે લિંગ અજ્ઞાત રહીને સાધ્યનું જ્ઞાન કરાવી શકતું જ નથી. તે ન કેવળ જ્ઞાત જ હોવું જોઈએ પરંતુ તેણે તો સાથે સાથે પોતાના સાધ્ય સાથે અવિનાભાવીરૂપે નિશ્ચિત પણ હોવું જોઈએ. તાત્પર્ય એ કે એક અવિનાભાવ હોતાં શેષ રૂપો કાં તો નિરર્થક છે કાં તો અવિનાભાવનો વિસ્તાર માત્ર છે. બાધા અને અવિનાભાવનો વિરોધ છે. જો હેતુ પોતાના સાધ્ય સાથે અવિનાભાવ ધરાવતો હોય તો બાધા કેવી? અને જો બાધા હોય તો અવિનાભાવ કેવો? આ બધાં રૂપોમાં કેવળ એક વિપક્ષવ્યાવૃત્તિ એ રૂપ જ એવું છે જે હેતુનું અસાધારણ લક્ષણ બની શકે છે. એનું જ નામ અવિનાભાવ છે. નૈયાયિક અન્વય-વ્યતિરેકી, કેવલાન્વયી અને કેવલવ્યતિરેકી એમ ત્રણ પ્રકારના હેતુ માને છે. “શબ્દ અનિત્ય છે કેમ કે તે કૃતક છે' આ અનુમાનમાં કૃતત્વ હેતુ સપક્ષભૂત અનિત્ય ઘટમાં મળે છે અને આકાશ આદિ નિત્ય વિપક્ષોમાંથી વ્યાવૃત રહે છે અને પક્ષમાં તેનું રહેવું નિશ્ચિત છે, તેથી આ હેતુ અન્વયવ્યતિરેકી છે. તેમાં પંચરૂપતા વિદ્યમાન છે. “અદષ્ટ આદિ કોઈને પ્રત્યક્ષ છે, કેમ કે તે અનુમેય છે” અહીં અનુમેયત્વ હેતુ પક્ષભૂત અદષ્ટ આદિમાં મળે છે, સપક્ષ ઘટમાં પણ તે રહે છે, તેથી પક્ષધર્મત્વ અને સપક્ષસત્ત્વ તો છે. પરંતુ વિપક્ષવ્યાવૃત્તિ નથી કેમ કે જગતના બધા જ પદાર્થો પક્ષ અને સપક્ષ અન્તર્ગત થઈ ગયા છે. જ્યારે કોઈ વિપક્ષ છે જ નહિ ત્યારે વ્યાવૃત્તિ કોનાથી થાય ? આ કેવલાન્વયી હેતુમાં વિપક્ષવ્યાવૃત્તિ સિવાય અન્ય ચાર રૂપો મળે છે. “જીવિત શરીર આત્માથી યુક્ત છે કેમ કે તેમાં પ્રાણાદિમત્ત્વ-શ્વાસોચ્છવાસ આદિ મળે છે. અહીં જીવિત શરીર પક્ષ છે, સાત્મકત્વ સાધ્ય છે અને પ્રાણાદિમત્ત હેતુ છે. આ હેતુ પક્ષભૂત જીવિત શરીરમાં મળે છે અને વિપક્ષભૂત પથ્થર આદિથી વ્યાવૃત્ત છે, તેથી તેમાં પક્ષધર્મત્વ અને વિપક્ષવ્યાવૃત્તિ તો મળે છે પરંતુ સપક્ષસત્ત્વ નથી કેમ કે १. षड्लक्षणो हेतुरित्यपरे नैयायिकमीमांसकादयो मन्यन्ते .... तथा विवक्षितैकसंख्यत्वं रूपान्तरम् - एका संख्या यस्य हेतुद्रव्यस्य तदेकसंख्यं...योकसंख्यावच्छिन्नायां પ્રતિરહિતાયાં... તથા જ્ઞાતત્વ ર જ્ઞાનવિષયત્વમ્ હેતુબિન્દુટીકા, પૃ. ૨૦૬. ૨. વધવિનામાવયોર્વિરોથાત્ ા હેતુબિન્દુ, પરિચ્છેદ ૪.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy