SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા ૨૦૩ સ્વરૂપનો નિર્દેશ છે. અકલંક અને માણિક્યનંદીએ પ્રમાણને અનધિગતાર્થગ્રાહી અને અપૂર્વાર્થવ્યવસાયી કહેલ છે; પરંતુ વિદ્યાનન્દનો સ્પષ્ટ મત છે કે જ્ઞાન, અપૂર્વ પદાર્થને જાણે કે ગૃહીત અર્થને જાણે, તે સ્વાર્થવ્યવસાયાત્મક હોવાથી પ્રમાણ જ છે. ગૃહીતગ્રાહિતા કોઈ દૂષણ નથી. અવિસંવાદની પ્રાયિક સ્થિતિ અલંકદેવે અવિસંવાદને પ્રમાણિતાનો આધાર માનીને એક વિશેષ વાત એ કહી છે કે આપણાં જ્ઞાનોમાં પ્રમાણતા અને અપ્રામાણતાની સંકીર્ણ સ્થિતિ છે. કોઈપણ જ્ઞાનને, એકાન્તપણે પ્રમાણ યા અપ્રમાણ ન કહી શકાય. ઇન્દ્રિયદોષથી થનારું દ્વિચન્દ્રજ્ઞાન પણ ચન્દ્રાંશમાં અવિસંવાદી હોવાના કારણે પ્રમાણ છે પરંતુ દ્વિતાંશમાં વિસંવાદી હોવાના કારણે અપ્રમાણ છે. પર્વત પર ચન્દ્રમાનું દેખાવું ચન્દ્રાંશમાં જ પ્રમાણ છે, પર્વતસ્થિતરૂપમાં નહિ. આ રીતે આપણાં જ્ઞાનોમાં ઐકાન્તિક પ્રમાણતા યા અપ્રમાણતાનો નિર્ણય કરી શકાતો નથી. તો પછી વ્યવહારમાં કોઈ જ્ઞાનને પ્રમાણ યા અપ્રમાણ કહેવાનો આધાર શું માનવો? – આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જ્ઞાનની પ્રાયઃ એકસરખી સ્થિતિ હોવા છતાં પણ જે જ્ઞાનમાં અવિસંવાદની બહુલતા હોય તેને પ્રમાણ માનવામાં આવે અને જે જ્ઞાનમાં વિસંવાદની બહુલતા હોય તેને અપ્રમાણ માનવામાં આવે. જેમ અત્તર આદિના પુદ્ગલોમાં રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ હોવા છતાં પણ ગબ્ધ ગુણની ઉત્કટતાના કારણે તેમને “ગધ દ્રવ્યો' કહેવામાં આવે છે, તેમ અવિસંવાદની બહુલતાના આધારે પ્રમાણવ્યવહાર થાય છે. અકલકદેવના આ વિચારનું એક જ કારણ જણાય છે અને તે એ કે તેમના મતે ઇન્દ્રિયજન્ય લાયોપથમિક જ્ઞાનોની સ્થિતિ પૂર્ણપણે વિશ્વસનીય માની શકાતી નથી. સ્વલ્પશક્તિવાળી ઇન્દ્રિયોની વિચિત્ર રચનાના કારણે ઇન્દ્રિયો દ્વારા પ્રતિભાસિત પદાર્થ અન્યથા પણ હોય છે. આ જ કારણે આગમિક પરંપરામાં ઇન્દ્રિય અને મનથી જન્ય મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને પ્રત્યક્ષ ન કહેતાં પરોક્ષ જ કહ્યાં છે. અકલંકદેવના આ વિચારને ઉત્તરકાલીન દાર્શનિકોએ અપનાવ્યો હોય એવું જણાતું નથી, પરંતુ સ્વયં અકલંક આ વિચારને ૧. પ્રમાવિસંવારિકાનધાતાથધામનક્ષત્વતા અષ્ટશતી, અષ્ટસહસ્ત્રી, પૃ. ૧૭૫. દ્વાપૂર્વાર્થવ્યવસાયાત્મજ્ઞાન પ્રમાણમ્ | પરીક્ષામુખ, ૧.૧ ૨. વૃદતમJદીતિં વાયરિ સ્વાર્થ વ્યવતિ | તન્ન તો ન શાપુ વિગહાતિ પ્રમાણતા | તત્ત્વાર્થશ્લોકવાર્તિક, ૧.૧૦.૭૮.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy