SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમું પ્રકરણ સાત તત્ત્વોનું નિરૂપણ તત્ત્વવ્યવસ્થાનું પ્રયોજન પદાર્થવ્યવસ્થાની દષ્ટિએ આ વિશ્વ પદ્રવ્યમય છે, પરંતુ મુમુક્ષુ માટે જેમના તત્ત્વજ્ઞાનની આવશ્યકતા મુક્તિ માટે છે તે તત્ત્વો સાત છે. જેમ રોગીએ રોગમાંથી મુક્ત થવા માટે રોગ, રોગનાં કારણ, રોગમુક્તિ અને રોગમુક્તિનો ઉપાય, આ ચાર વાતોને જાણવી ચિકિત્સાશાસ્ત્રમાં આવશ્યક ગણાવી છે તેમ મુમુક્ષુએ મોક્ષની પ્રાપ્તિ માટે સંસાર, સંસારનાં કારણ, મોક્ષ અને મોક્ષના ઉપાયો આ મૂળભૂત ચતુર્વ્યૂહને જાણવો નિતાન્ત આવશ્યક છે. વિશ્વવ્યવસ્થા અને તત્ત્વનિરૂપણનાં પ્રયોજનો જુદાં જુદાં છે. વિશ્વવ્યવસ્થાનું જ્ઞાનન હોયતોપણતત્ત્વજ્ઞાનથી મોક્ષની સાધના કરી શકાય છે, જ્યારે તત્ત્વજ્ઞાન ન હોય તો વિશ્વવ્યવસ્થાનું સમગ્ર જ્ઞાન પણ નિરર્થક અને અનર્થક બની શકે છે. ' રોગીના માટે સૌપ્રથમ એ આવશ્યક છે કે તે પોતાના રોગને સમજે. જ્યાં સુધી તેને પોતાના રોગનું ભાન નહિ થાય ત્યાં સુધી તે ચિકિત્સા માટે પ્રવૃત્ત જ નહિ થઈ શકે. રોગને જાણ્યા પછી રોગીએ એ જાણવું પણ આવશ્યક છે કે તેનો રોગ મટી શકે છે. રોગ સાધ્ય છે એ જ્ઞાન જ તેને ચિકિત્સામાં પ્રવૃત્ત કરે છે. રોગીએ એ જાણવું પણ આવશ્યક છે કે આ રોગ અમુક કારણોથી ઉત્પન્ન થયો છે જેથી ભવિષ્યમાં તે પેલા અપથ્ય આહાર-વિહારથી બચીને પોતાને નીરોગી રાખી શકે. રોગનો નાશ કરવામાં ઉપાયભૂત ઔષધોપચારનું જ્ઞાન તો આવશ્યક છે જ; ત્યારેસ્તો મોજૂદ રોગનો ઔષધોપચારથી સમૂલ નાશ કરીને તે સ્થિર આરોગ્યને પામી શકે છે. તેવી જ રીતે “આત્મા બંધાયેલો છે, આ કારણોથી બંધાયેલો છે, આ બંધન તૂટી શકે છે અને આ ઉપાયોથી તૂટી શકે છે' આ મૂળભૂત ચાર મુદ્દામાં તત્ત્વજ્ઞાનની પરિસમાપ્તિ ભારતીય દર્શનોએ કરી છે. બુદ્ધનાં ચાર આર્યસત્ય ભગવાન બુદ્ધ પણચિકિત્સાશાસ્ત્રની જેમ દુઃખ, સમુદાય, નિરોધ અને માર્ગઆચાર આર્યસત્યોનો ઉપદેશ આપ્યો છે. તે ક્યારેય પણ “આત્માશું છે, પરલોક શું છે આદિના દાર્શનિક વિવાદોમાંનતોસ્વયં પડ્યાકેનતો શિષ્યોને પણ પડવા દીધા. આ અંગેનું બહુ ૧. સત્યાન્યુwiનિ વત્વારિ ટુર્વ સમુદ્રયથા | . નિરોધો મા તેષાં યથામિલમયં : | અભિધર્મકોશ, ૬.૨.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy