SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૫: સૂત્ર-૨૯ ૩૧૯ દા. ત. જેમ આત્મામાં પથમિક આદિ ભાવોનો ઉત્પાદ એટલે કે આત્માનું જ તે તે આકારે રહેવું તે જ ઔપથમિક આદિ ભાવોનો ઉત્પાદ કહેવાય છે. આ સ્વાભાવિક ઉત્પાદ છે. પરમાણમાં સ્પર્ધાદિ ભાવોનો ઉત્પાદ એટલે કે પરમાણુ જ તે તે આકારે રહે છે તે જ સ્પર્ધાદિ ભાવોનો ઉત્પાદ છે. આ સ્વાભાવિક ઉત્પાદ છે. સ્કંધમાં સ્પર્શ અને શબ્દાદિનો જે ઉત્પાદ એટલે કે સ્કંધ જ તે તે આકારે રહે છે તે જ સ્પર્ધાદિ ને શબ્દાદિનો ઉત્પાદ છે. આ સ્વાભાવિક ઉત્પાદ છે. તેવી રીતે આકાશાદિમાં અવગાહ આદિનો ઉત્પાદ એટલે કે આકાશાદિ જ અવગાહાદિરૂપે રહે છે તે જ અવગાહ આદિનો ઉત્પાદ છે. આ આકાશાદિમાં સ્વાભાવિક ઉત્પાદ છે. આમ આકાશમાં અવગાહસ્વભાવ, અધર્મમાં સ્થિતિસ્વભાવ, ધર્મમાં ગતિ સ્વભાવ છે તે બધા તો દ્રવ્યોનાં પરિણામો છે. કારણ કે તે આકાશાદિ જ અવગાહ આદિ આકારથી ઉત્પન્ન થયા છે. આ રીતે ધર્મ, અધર્મ, આકાશરૂપ અવિકારી દ્રવ્યોમાં સ્વાભાવિક ઉત્પાદ છે. સમુદાયજનિત સ્વાભાવિક ઉત્પાદ.. આ જે અવગાહ વગેરેનો ઉત્પાદ છે તે પ્રદેશરૂપ છે. જેમ આત્માના અસંખ્યાત પ્રદેશ છે અને તે પ્રદેશોનો સમુદાય એ આત્મા છે તેમ આકાશાદિ પ્રદેશનો સમુદાય છે. અને આકાશનું આકાશપણું સ્વાભાવિક છે. અકૃત્રિમ જ છે. માટે તેના અવગાહનો ઉત્પાદ પણ અકૃત્રિમ હોવાથી સ્વાભાવિક જ છે. કારણ કે આકાશ એ પોલાણ છે, જગ્યા આપવાના સ્વભાવવાળું છે. તે જ રીતે ધર્મ દ્રવ્યગતિમાં અનુગ્રહ કરવાના સ્વભાવવાળું છે, અધર્મ દ્રવ્યસ્થિતિમાં અનુગ્રહ કરવાના સ્વભાવવાળું છે, આત્મા પણ જ્ઞાનસ્વરૂપ હોવાથી ઉપયોગસ્વભાવવાળો છે અને પુદ્ગલો મૂર્ત હોવાથી સ્પર્ધાદિ સ્વભાવવાળા છે. આ પ્રમાણે વિચારીએ ત્યારે આ દ્રવ્યોમાં અવગાહાદિનો ઉત્પાદ થાય છે તે સ્વાભાવિક છે. અસ્વાભાવિક ઉત્પાદ.. આ રીતે આપણે અવગાહાદિનો ઉત્પાદ સ્વાભાવિક છે એમ વિચાર્યું તેવી રીતે કથંચિતુ અસ્વાભાવિક છે એ વિચારીએ છીએ. કેમ કે આપણો તો અનેકાંતવાદ છે એટલે કથંચિત સ્વાભાવિક ઉત્પાદ છે અને કથંચિત્ અસ્વાભાવિક ઉત્પાદ છે. આ અવગાહ આદિ કથંચિત્ અસ્વાભાવિક ઉત્પાદ છે. કેમ કે એ સમુદાયનું કાર્ય છે. દા. ત. જેમ ઘણા તંતુઓના સમુદાયથી પટ બને છે તેમ યથોક્ત અવગાહ આદિનો ઉત્પાદ પણ સમુદાયથી થતો હોવાથી અસ્વાભાવિક છે. કેમ કે અવગાહ એ અવગાહ્ય અને અવગાહક આ બેના સમુદાયરૂપ છે.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy