SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૪ ઓજ-અયુગ્મ શ્રેણી આયત : આ સંસ્થાન જઘન્યથી ત્રણ પ્રદેશથી અને ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશથી બનેલું હોય છે. ઓજ-અયુગ્મ પ્રતર આયત : જઘન્યથી ૧૫ પ્રદેશથી અને ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશથી બનેલું આ સંસ્થાન છે. આમાં જ ઉ૫૨ અને નીચે ૧૫-૧૫ પ્રદેશના પ્રક્ષેપથી જઘન્યથી ૪૫ પ્રદેશવાળું અને ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશવાળું અને ઓજઘનાયત બને છે. હવે અજીવે ગ્રહણ કરેલ આકૃતિ (૫) પરિમંડલનો વિચાર આરંભાય છે. (૫) રિમંડલ : આ પરિમંડલ સંસ્થાનના બે પ્રકાર છે : (૧) પ્રતર પરિમંડન, (૨) ઘન પરિમંડલ. પ્રતર૪ પરિમંડલ : જધન્યથી ૨૦ પ્રદેશથી બનેલું આ સંસ્થાન છે. ઘન પરિમંડલ -- પ્રતર પરિમંડલમાં ૨૦ પ્રદેશ નાંખવાથી જઘન્યથી ૪૦૫ પ્રદેશથી બનેલું અને ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલું આ ઘન રિમંડલ સંસ્થાન છે. પ્રશ્ન :- ભાષ્યમાં તો ‘આયત' કહ્યું નથી તો ‘આયત' લાવ્યા ક્યાંથી ? ઉત્તર ઃ- ભાષ્યમાં દીર્ઘ અને હ્રસ્વનું ગ્રહણ કર્યું છે તેનાથી ‘આયત’”નું ગ્રહણ થાય છે, અને આદિ પદથી બાકીના સંસ્થાન ગ્રહણ કરવાના છે. ૧. ૪. ૨. ૫. • :::: . ૧૯૯ . . . · ૩. ૬. વ્યવહારને અનુસા૨ી ઉપદેશથી કેટલાક પરમાણુથી બનનાર સંસ્થાનનો ઉપદેશ નથી, અને ‘અનિત્યં’સંસ્થાન દીર્ઘદિરૂપે વ્યવહારને યોગ્ય નથી અને જીવનાં સંસ્થાનો વડે પણ અધિકા૨ નથી. તત્ત્વા૰મુદ્રિત॰ ટિપ્પણ૦ પૃ૦ રૂ૬૨.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy