SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો સ્વાર્થનુમાનરૂપ જ્ઞાન વચનમાં કારણ છે. કાર્યરૂપ વચનમાં કારણવાચક અનુમાન શબ્દનો પ્રયોગ છે. ૭૮ (૫) આગમ પ્રમાણ : આગમ પ્રમાણનું નિરૂપણ કરતાં જૈનતર્ક ભાષામાં કહ્યું છે કે, आप्तवचनादाविर्भूतमर्थसंवेदनमागम : ( 21 ) । અર્થ :- આપ્ત પુરૂષના વચનથી ઉત્પન્ન અર્થનું જ્ઞાન આગમ છે. અર્થ (પદાર્થ) ના સત્ય સ્વરૂપને જાણે છે અને યથાર્થ જ્ઞાનને અનુસારે અર્થનું પ્રતિપાદન કરે છે, તે આપ્ત છે. તેમના વચનથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે આગમ પ્રમાણ છે. મુખ્યરૂપથી આગમ પ્રમાણ જ્ઞાનરૂપ છે. પરંતુ શ્રોતાના જ્ઞાનની ઉત્પત્તિમાં આપ્તપુરૂષનું વચન કારણ છે. તેથી કારણમાં જ્ઞાનરૂપ કાર્યના વાચક આગમ શબ્દનો ઉપચારથી પ્રયોગ થાય છે અને આપ્ત વચનને આગમ પ્રમાણ કહેવાય છે. જેને અર્થનું સત્ય જ્ઞાન નથી અથવા સત્ય જ્ઞાન હોવા છતાં પણ લોકોને ઠગવા કરવા માટે અયુક્ત શબ્દોનો પ્રયોગ કરે છે, તે આપ્ત નથી અનાપ્ત છે. તેમના વચનથી ઉત્પન્ન જ્ઞાન મિથ્યાજ્ઞાન છે અને તે આગમપ્રમાણ નથી. 21. આપ્તવષનાવાવિર્ભૂતમર્થસંવેતનમાનમ: ।।। आप्तः-यथार्थवक्ता तस्य वचनादाविर्भूतमुत्पन्नं यदर्थसंवेदनं-पदार्थज्ञानं तदागमशब्दाમિષેયમિત્યર્થ: ।।૬।। ननु यद्यर्थसंवेदनमागमः तर्हि कथमाप्तवचनात्मकोऽसौ सिद्धान्तविदां प्रसिद्ध इत्याशङ्कयाऽऽहुःउपचारादाप्तवचनं च ।।२।। ननु यदि आप्तवचनादुत्पन्नं ज्ञानमागमशब्देनाभिधीयते तर्हि आप्तवचने कथमागमशब्दप्रयोगः ? इत्याशङ्कयाहुः-उपचारादिति । अयं भावः प्रतिपाद्यगतज्ञानस्य कारणमाप्तवचनमिति कारणे - आप्तवचने कार्योपचाराद् आप्तवचनेऽपि आगमशब्दप्रयोगः ।।२।।
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy