SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણ ૭૩ કહેવાનો આશય એ છે કે, ત્રણે કાળમાં જે સાધ્ય અને સાધન છે, તેનો સંબંધ વ્યાપ્તિ છે. વ્યાપ્તિના વિષયમાં જે જ્ઞાન છે, તે તર્ક કહેવાય છે. સાધ્ય અને સાધનનું (કોઈપણ પ્રમાણ દ્વારા) જ્ઞાન, વ્યાપ્તિના જ્ઞાનને ઉત્પન્ન કરે છે. જે વસ્તુઓનું પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકે છે, તે વસ્તુઓના અન્વય અને વ્યતિરેકનું જ્ઞાન પ્રત્યક્ષ દ્વારા થાય છે. જ્યારે ધૂમ દેખાય છે ત્યારે અગ્નિની સાથે દેખાય છે. જ્યારે અગ્નિનું પ્રત્યક્ષ થતું નથી, ત્યારે ધૂમ પણ નથી દેખાતો. આ રીતથી ધૂમ અને વહ્નિની વ્યાપ્તિનું જ્ઞાન થાય છે. જે સાધ્ય અને સાધનોનું જ્ઞાન બાહ્ય ઈન્દ્રિયો દ્વારા થઈ શકતું નથી, તેમાં સાધ્ય-સાધન ભાવનું જ્ઞાન આગમ અને અનુમાન દ્વારા થાય છે. કોઈક કાળે પ્રમાણો દ્વારા સાધ્ય-સાધનના વિષયમાં એકવાર થયેલું જ્ઞાન વ્યાપ્તિજ્ઞાનરૂપ તર્કને ઉત્પન્ન કરી દે છે. ક્યારેક ભિન્ન ભિન્ન રીતથી વ્યાપ્તિજ્ઞાન થાય છે. અનેકવાર સાધ્ય અને સાધનોને એક સાથે દેખવાથી તેમાં સાધ્ય-સાધન ભાવનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. વળી સાધ્ય-સાધનભાવ પ્રતીત થઈ જાય પછી ઉત્તરકાળમાં સાધ્યસાધનનું સ્મરણ થાય છે, પછી પ્રત્યભિજ્ઞાન થાય છે. તેની પછી વ્યાપ્તિજ્ઞાનરૂપ તર્ક થાય છે. સાધ્ય-સાધનની જેમ વાચ્ય-વાચકના વિષયમાં પણ વ્યાપ્તિજ્ઞાનરૂપ તર્ક હોય છે. એ તર્કનું અન્ય નામ ‘ઉહ’' છે. (૪) અનુમાન પ્રમાણ અને તેના બે પ્રકાર : અનુમાનનું સ્વરૂપ બતાવતાં જૈનતર્ક ભાષામાં કહ્યું છે કે, સાધનાત્માધ્વવિજ્ઞાનમ્ અનુમાનમ્। તત્ િિવયં-સ્વાર્થ પાર્થ = (16) અર્થ : સાધ્યથી સાધનનું જ્ઞાન અનુમાન કહેવાય છે. તે બે પ્રકારનું છે. (૧) સ્વાર્થાનુમાન અને (૨) પરાર્થાનુમાન. સ્વાર્થનુમાન :- સ્વાર્થાનુમાનનું લક્ષણ આ પ્રમાણે છે - 16. ગ્રંથાનુમાનસ્ય તક્ષાર્થ પ્રહારો પ્રળાશયન્તિ - અનુમાન દ્વિપ્રજારમ્, સ્વાર્થ પરાર્થે ચાલ્। स्वार्थानुमान-परार्थानुमानभेदादनुमानं द्विविधमित्यर्थः । । ३ - ९ ।। (प्र.न. तत्त्वालोक)
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy