SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ “સ્યાદ્વાદ - અનેકાંતવાદ” ૪ ૫ વૈયધિકરણ્ય દોષનો પરિહાર(50) : તમે આપેલો વૈયધિકરણ્ય દોષ પણ ઉચિત નથી. કારણ કે, નિબંધ પ્રત્યક્ષબુદ્ધિમાં સત્ત્વ અને અસત્ત્વ ધર્મ સમાનાધિકરણ પ્રતિભાસ થાય છે. એવા પ્રકારે એકત્ર ઉભયનો પ્રતિભાસ થતો હોય ત્યાં વૈયધિકરણ્ય દોષની કલ્પના કરવી ઉચિત નથી. કારણ કે, એક આંબાના ફલમાં રૂપ અને રસ સાથે રહેવા છતાં પણ રૂપ અને રસનું વૈયધિકરણ્ય માનવું પડશે. અર્થાત્ સત્ત્વ અને અસત્ત્વ ધર્મ એક જ વસ્તુમાં પ્રતીત થવા છતાં પણ તે બંનેમાં વૈયધિકરણ્ય માનશો તો એક જ ફલમાં રહેલા રૂપ અને રસમાં પણ વૈયધિકરણ્ય માનવું પડશે (કે જે કોઈને માન્ય નથી.) અનેકાંતમાં સંકર અને વ્યતિકર દોષનો આરોપ 1) : (તમે જેનો વસ્તુના સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મોને કથંચિત્ અભિન્ન = તાદાસ્ય માનો છો, તેથી) જે સ્વરૂપથી વસ્તુમાં સત્ત્વ છે, તે સ્વરૂપથી વસ્તુમાં સત્તાસત્ત્વ હશે. કારણ કે, તમે વસ્તુના સત્ત્વ અને અસત્ત્વ ધર્મને કથંચિત્ અભિન્ન માનો છો. તેથી વસ્તુમાં બંને ધર્મોની એક સાથે પ્રાપ્તિ હોવાના કારણે સંકર દોષ આવે છે. કારણ કે “એક સાથે ઉભય ધર્મોની પ્રાપ્તિને સંકર કહેવાય છે” આવું સંકર દોષનું લક્ષણ સંગત થઈ જાય છે. તદુપરાંત, (તમે જેનો વસ્તુના સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મોને કથંચિત્ અભિન્ન માનો છે તેથી) જે સ્વરૂપથી વસ્તુમાં સત્ત્વ હશે, તે 50. तथा वैयधिकरण्यमप्यसत, निर्बाधकाध्यक्षबुद्धौ सत्त्वासत्त्वयोरेकाधिकरणत्वेन प्रतिभासनात्। न खलु तथाप्रतिभासमानयोर्वेयधिकरण्यं, एकत्र फले रूपरसयोरपि तत्प्रसङ्गात् ४। 51. તથા યેન પે સર્વ તેને સર્વમસર્વ વ ાવિતિ સંર:, “યુગડુમયાણ: સંર:'' इति वचनात् ५। तथा येन रुपेण सत्त्वं तेनासत्त्वमपि स्यात् येनासत्त्वं तेन सत्त्वमपि स्यादिति व्यतिकर:, "परस्परविषयगमनं व्यतिकरः इति वचनात् ६।
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy