SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો સુવર્ણના અર્થી મનુષ્ય તેના નાશ, ઉત્પાદ અને સ્થિતિમાં અનુક્રમે શોક, પ્રમાદ અને મધ્યસ્થતાને ધારણ કરે છે. (અર્થાત્ સુવર્ણના ઘટનો અર્થી વ્યક્તિ જ્યારે સુવર્ણનો ઘટ તોડીને મુકુટ બનાવવાનો પ્રારંભ થાય છે, ત્યારે શોક કરે છે અને તે વખતે મુકુટનો અર્થી વ્યક્તિ પ્રમોદ કરે છે અને સુવર્ણની અર્થી વ્યક્તિ બંને અવસ્થામાં સુવર્ણ હેમખેમ રહેતું હોવાથી મધ્યસ્થતા ધારણ કરે છે, આથી શોકાદિ ક્રિયા સહેતુક સિદ્ધ, થાય છે. (અર્થાત્ ત્રણ ભિન્ન વ્યક્તિઓને એક સાથે થયેલા ત્રણ પ્રકારના (ભિન્ન) ભાવ વિનાશ, ઉત્પત્તિ અને સ્થિતિરૂપ ત્રણ અવસ્થાઓ વિના થઈ શકતા નથી. તેથી ત્રણ વ્યક્તિઓને થતા ભિન્ન ભિન્ન ત્રણ ભાવ, વસ્તુમાં રહેલા ત્રણ ધર્મોના કારણે થયા છે - તે સિદ્ધ થાય છે અને તેનાથી વસ્તુ ત્રયાત્મક સિદ્ધ થાય છે(42). વસ્તુની ત્રયાત્મકતાની સિદ્ધિ કરવા માટે દર્શન સમુચ્ચય ગ્રંથની બૃહદ્રવૃત્તિમાં અનેક પ્રકારની યુક્તિઓ અને ઉદાહરણો આપ્યા છે, વિશેષ જિજ્ઞાસુઓને એનું અવલોકન કરવા ભલામણ અનેકાંતવાદમાં અન્યોએ આપેલા વિરોધાદિ દોષો(43) અને તેનો પરિહાર - પૂર્વે જોયું કે, વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે અને વસ્તુમાં અનંતધર્મો રહેલા છે. આની સામે અન્યદર્શનકારોએ અનેકાંતવાદમાં વિરોધ વગેરે અનેક દોષો ઉપસ્થિત કર્યા છે. જૈનદર્શનકારોએ પ્રમાણ, યુક્તિ અને તર્કથી તે તમામ દોષોનું નિરાકરણ કર્યું છે. અહીં આપણે 42. वर्धमानकभङ्गे च रुचकः क्रियते यदा। तदा पूर्वार्थिन: शोक: प्रीतिश्चाप्युत्तरार्थिनः ।।२१ ।। हेमार्थिनस्तु माध्यस्थ्यं तस्माद्वस्तुत्रयात्मकम् ।।२२।।न नाशेन विना शोको नोत्पादेन विना सुखम्। स्थित्या विना न માધ્યäતેને સામાન્યનિત્યતા પારરૂા(મી.રત્નો.-૬૨૨) 43. ननु सत्त्वासत्त्वनित्यानित्याद्यनेकान्तो दुर्धरविरोधादिदोषविषमविषधरदष्टत्वेन कथं स्वप्राणान्धरयितुं ધીરતાં હયાતિ ( મુ...સ્સો.-૧ ૭)
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy