SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ “સ્યાદ્વાદ - અનેકાંતવાદ' ૩ ૫ છે, તે અનુભવ અમ્બલદ્ છે. કારણ કે, તેને બાધક કોઈ પ્રમાણ નથી. તેવા જ પ્રકારે અનુભવમાં આવે છે. તેથી જીવ હર્ષાદિ પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તેમ કહેવામાં દોષ નથી. શંકા 9) : ઉત્પાદ, વિનાશ અને સ્થિરતા પરસ્પર ભિન્ન છે કે અભિન્ન? જો ભિન્ન હોય તો વસ્તુમાં સમાનકાળે તે ભિન્ન ધર્મો હોઈ શકે નહીં. તેથી વસ્તુને ત્રયાત્મક કેવી રીતે કહી શકાય? અર્થાત્ જો તે ધર્મો ભિન્ન હોય તો વસ્તુનું સ્વરૂપ ક્યાં તો ઉત્પાદરૂપ હોવું જોઈએ કે ક્યાં તો વિનાશરૂપ કે ક્યાં તો સ્થિરતારૂપ હોવું જોઈએ. પરંતુ ત્રયાત્મક કેવી રીતે હોઈ શકે ? જો ઉત્પાદાદિ ત્રણે અભિન્ન હોય, તો પણ વસ્તુને ત્રયાત્મક કઈ રીતે કહી શકાય? ન જ કહી શકાય. કારણ કે, ત્રણે ધર્મો વચ્ચે કોઈ ભેદ ન હોવાથી તે એકરૂપ જ છે. આથી જ અન્ય સ્થળે કહ્યું છે કે, “જો ઉત્પાદાદિ પરસ્પર ભિન્ન હોય તો વસ્તુ ત્રયાત્મક કઈ રીતે હોઈ શકે અને જો પરસ્પર અભિન્ન હોય તો વસ્તુ ત્રયાત્મક કઈ રીતે હોઈ શકે ?' સમાધાન 40) : ઉત્પાદાદિ ત્રણેના લક્ષણો કથંચિત્ ભિન્ન છે તેથી તેઓ પણ કથંચિત્ ભિન્ન છે. તેથી ઉત્પાદાદિ સર્વથા ભિન્ન ન હોવા છતાં કથંચિત્ 39. ननूत्पादादयः परस्परं भिद्यन्ते न वा? यदि भिद्यन्ते कथमेकं वस्तु त्रयात्मकम्? न भिद्यन्ते इति चेत् ? तथापि कथमेकं त्रयात्मकम्? तथा च - यद्युत्पादादयो भिन्नाः कथमेकं त्रयात्मकम्। अथोत्पादादयोऽभिन्नाः कथमेकं त्रयात्मकम्" इति चेत्? 40. तदयुक्तं, कथंचिद्भिवलक्षणत्वेन तेषां कथंचिद्भेदाभ्युपगमात्। तथाहि - उत्पादविनाशध्रौव्याणि स्याद् भिन्नानि भिन्नलक्षणत्वात्, रूपादिवदिति। न च भिन्नलक्षणत्वमसिद्धम्। असत आत्मलाभः, सत: सत्तावियोग: द्रव्यरूपतयानुवर्तनं च खलुत्पादादीनां परस्परमसंकीर्णानि लक्षणानि सकललोकसाक्षिकाण्येव। (स्याद्वाद मंजरी)
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy