SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ “સ્યાદ્વાદ - અનેકાંતવાદ” ૩ ૩ પ્રત્યેક વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્યાત્મક છે. તે આ પ્રમાણે - દરેક વસ્તુ દ્રવ્યરૂપે ઉત્પન્ન થતી નથી કે વિનાશ પામતી નથી. કારણ કે, (ક્ષણે ક્ષણે ભિન્ન પર્યાયો ઉત્પન્ન થતા અને નાશ થતા હોવા છતાં પણ તે દરેક ક્ષણોમાં) એક જ દ્રવ્ય સ્કુટ ઉપલબ્ધ થાય છે. શંકા : નખ વગેરે કાપ્યા પછી પુનઃ વધે છે અને ફરીથી વધેલા નખ પહેલાંના નખ જેવા દેખાતા હોવા છતાં પણ તે વાસ્તવમાં પૂર્વના નખથી ભિન્ન હોય છે. એટલે અન્વયનું દર્શન થવા છતાં વાસ્તવમાં અન્વય નથી. તેથી જ્યાં “અન્વયનું દર્શન થાય છે, ત્યાં એક જ અન્વયી દ્રવ્ય હોય” આવા સિદ્ધાંતમાં વ્યભિચાર આવે છે. તેથી ભિન્ન-ભિન્ન પર્યાયોના અસ્તિત્વ વખતે પણ ત્યાં દ્રવ્યરૂપે વસ્તુ હાજર હોય છે “અર્થાત્ દ્રવ્યરૂપે વસ્તુ એક જ છે'' આ વાત તમારી ખોટી છે. સમાધાન : તમે આપેલા નખના દૃષ્ટાંતમાં જે અન્વયનું દર્શન થાય છે, તે પરિસ્ફટ નથી. કારણ કે, પ્રમાણથી બાધિત છે. એક પણ પ્રમાણથી બાધિત ન હોય તે જ અન્વયદર્શન પરિસ્કુટ કહેવાય છે અને તેવું જ અન્વયદર્શન સ્થિર દ્રવ્યની સિદ્ધિ માટે નિયામક બને છે અને એવું પરિસ્કુટ અન્વયદર્શન પ્રમાણથી બાધિત પણ નથી. કારણ કે, તે इति वचनात्। ततो द्रव्यात्मना स्थितिरेव सर्वस्य वस्तुनः। पर्यायात्मना तु सर्वं वस्तूत्पद्यते विपद्यते च, अस्खलितपर्यायानुभवसद्भावात्। न चैवं शुक्ले शङ्के पीतादि पर्यायानुभवेन व्यभिचार: तस्य स्खलद्रूपत्वात्। न खलु सोऽस्खलद्रूपो येन पूर्वाकारे विनाशाजहद्धृतोत्तराकारोत्पादाविनाभावी भवेत्। न च जीवादौ हर्षामर्षोदासीन्यादिपर्यायपरम्परानुभव: स्खलप: कस्यचित् बाधकस्याभावात्। (સાદ મરી)
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy