SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો સમાધાન ૫) : તમારી શંકા લેશમાત્ર યોગ્ય નથી, કારણ કે, જો તે પરપર્યાય વ્યપદેશ સંબંધના આશ્રયથી તે ઘટના છે, તે મુજબ વ્યપદેશ કરવામાં નહીં આવે, તો સામાન્યતઃ તે પરપર્યાય પરવસ્તુઓમાં પણ પ્રાપ્ત કરી શકાશે નહીં - રહી શકશે નહીં. કારણ કે, પરવસ્તુમાં તો તે સ્વપર્યાય રૂપથી જ રહે છે. સામાન્યપર્યાય બનીને નહીં (તેથી જ્યારે ઘટમાં તથા અન્ય પરવસ્તુઓમાં તેનો સંબંધ ન રહે, તો તેને પર્યાય પણ કેમ કરીને કહેવાશે?) પરંતુ તેનો પર્યાયના રૂપમાં અસ્વીકાર તો ઈષ્ટ નથી અને એવા અનુભવનો વિષય પણ નથી. તેથી તે પરપર્યાય નાસ્તિત્વસંબંધનો આશ્રય કરીને ધનનો છે, એ પ્રમાણે વ્યપદેશ કરવો જોઈએ તથા ધન પણ નાસ્તિત્વ સંબંધનો આશ્રય કરીને દરિદ્રનું છે, એ પ્રકારે વ્યપદેશ કરી શકાય છે. તેથી જ જગતમાં કહેવાય છે કે, “આ ગરીબનું ધન વિદ્યમાન નથી”. તદુપરાંત, તમે જે “તે તેનો સંબંધી છે, એ પ્રમાણે વ્યપદેશ કરવા માટે સંભવ નથી” - આવું કહ્યું હતું, તેમાં તમારે એ જાણવું જોઈએ કે, અસ્તિત્વરૂપથી ધન ગરીબનું સંબંધી છે, એવો વ્યપદેશ કરવો સંભવિત નથી. પરંતુ નાસ્તિત્વરૂપથી તો ઘન ગરીબનું સંબંધી હોવાથી નાસ્તિત્વરૂપથી ધનને ગરીબના સંબંધી તરીકેના વ્યપદેશનો નિષેધ કરવો ઉચિત નથી. 35. तदेतन्महामोहमूढमनस्कतासूचकं, यतो यदि नाम ते नास्तित्वसम्बन्धमधिकृत्य तस्येति न व्यपदिश्यन्ते, तर्हि सामान्यतस्ते परवस्तुष्वपि न सन्तीति प्राप्तम, तथा च ते स्वरूपेणापि न भवेयुर्न चैतदृष्टमिष्टं वा, तस्मादवश्यं ते नास्तित्वसम्बन्धमधिकृत्य तस्येति व्यपदेश्याः, धनमपि च नास्तित्वसम्बन्धमधिकृत्य दरिद्रस्येति व्यपदिश्यन्त एव, तथा च लोके वक्तारो भवन्ति "धनमस्य दरिद्रस्य न विद्यते" इति। यदपि चोक्तं “तत्तस्येति व्यपदेष्टुं न शक्यं" इति, तत्रापि तदस्तित्वेन तस्येति व्यपदेष्टुं न शक्यं, न पुनर्नास्तित्वेनापि, ततो न कश्चिल्लोकव्यवहारातिक्रमः। (૫મુ...સ્તો. ૫)
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy