SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ “સ્યાદ્વાદ અનેકાંતવાદ’’ સજાતીય બને છે. બીજા કોઈ પ૨૫ર્યાયો રહેતા નથી અને તેથી કોઈપણ પદાર્થ વિજાતીય બનતો નથી12) અને તેથી કોઈપણની વ્યાવૃત્તિ ક૨વાની રહેતી નથી. હવે વિશેષધર્મોથી વસ્તુની અનંતધર્માત્મકતા બતાવવામાં આવે છે. - ૧૭ પૃથ્વી, પાણી આદિ અનંતા પુદ્ગલો છે. છતાં પણ સુવર્ણનો ઘટ પાર્થિવત્વેન વિદ્યમાન છે. પરંતુ જલત્વાદિ ધર્મોની અપેક્ષાએ તો વિદ્યમાન નથી. તેથી ઘટ માટે પાર્થિવત્વ સ્વપર્યાય છે. પરંતુ જલત્વાદિ ધર્મો ૫૨૫ર્યોયો છે. તેથી જલત્વાદિ ધર્મોની અપેક્ષાએ ઘટના પરપર્યાયો અનંતા છે14). આ રીતે ઘટના સ્વ અને પરપર્યાયોની ગણના કરવામાં આવે તો તે અનંતા છે. તેથી જ ઘટ સ્વ-૫૨૫ર્યાયોની અપેક્ષાએ અનંતધર્માત્મક છે. (હવે અવાંતર વિશેષધર્મોની અપેક્ષાએ ઘટની અનંતધર્માત્મકતાનો વિચાર કરીશું.) દ્રવ્યતઃ વસ્તુની અનંતધર્માત્મકતા : પાર્થિવ ઘટ પણ ધાતુરૂપે વિદ્યમાન છે. પરંતુ માટીપણા આદિ ધર્મોની અપેક્ષાએ વિદ્યમાન નથી. અર્થાત્ સુવર્ણત્વન વિદ્યમાન છે અને મૃત્ત્વાદિ ધર્મોની અપેક્ષાએ અવિદ્યમાન છે અર્થાત્ ધાતુરૂપે સત્ છે અને માટી આદિ પર્યાયોની અપેક્ષાએ અસત્ છે. અહીં પાર્થિવ ઘટનો ધાતુરૂપ 12. स घटो यदा सत्त्वज्ञेयत्वप्रमेयत्वादिधर्मैश्चिन्त्यते तदा तस्य सत्त्वादयः स्वपर्याया एव सन्ति, न तु केचन परपर्यायाः, सर्वस्य वस्तुनः सत्त्वादीन्धर्मानधिकृत्य सजातीयत्वाद्विजातीयस्यैवाभावान्न વુતોપિ વ્યાવૃત્તિ:। (પ.સમુ.વૃ.વૃ.૨સ્તો- ટીજા) 13. द्रव्यस्तु यदा पौद्गलिको घटो विवक्ष्यते, तदा स पौद्गलिकद्रव्यत्वेनाऽस्ति धर्माधर्माकाशादिद्रव्यत्वैस्तु नास्ति । अत्र पौद्गलिकत्वं स्वपर्यायः, धर्मादिभ्योऽनन्तेभ्यो व्यावृत्तत्वेन परपर्याया अनन्ता:, जीवद्रव्याणामनन्तत्वात् । 14. पौद्गलिकोऽपि स घटः पार्थिवत्वेनाऽस्ति न पुनराप्यादित्वैः, अत्र पार्थिवत्वं स्वपर्यायः, આપ્યાવિદ્રવ્યમ્યસ્તુ નનુષ્યો વ્યાવૃત્તિ: તત: પરપર્યાયા અનન્તા:। (ષડ્સમુ.વૃ.વૃ.તો.-૧૧ ટીા)
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy