SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં નિક્ષેપયોજન" ૩૧૯ સંગત થઈ શકે છે. આ રીતિથી આગમ અનુસાર વિચાર કરવો જોઈએ. કહેવાનો આશય એ છે કે, નગમ બે પ્રકારનો છે. એક કેવળ સામાન્યનું પ્રતિપાદન કરે છે અને બીજો કેવળ વિશેષનું. સામાન્યવાદી નગમનો સંગ્રહમાં અને વિશેષવાદી નેગમનો વ્યવહારમાં સમાવેશ છે. આ કારણે સ્થાપનાના સ્વીકાર રૂપ જે નૈગમનો મત છે તે પણ સંગ્રહ અને વ્યવહારનો સિદ્ધ થઈ જાય છે. પરિપૂર્ણ નગમનો વિષય સામાન્ય પણ છે અને વિશેષ પણ. આ બંનેનો પ્રવેશ એકલા સંગ્રહ અને એકલા વ્યવહારમાં થઈ શકતો નથી. પરંતુ સ્થાપના રૂપ ધર્મનો પ્રવેશ બંનેમાં થઈ શકે છે. સામાન્ય અને વિશેષરૂપ બંને સ્થાપનાઓનો સ્વીકાર પરિપૂર્ણ નગમમાં છે. સંગ્રહ કેવળ સામાન્યનો અને કેવળ વિશેષનો વ્યવહાર સ્વીકાર કરે છે. તેથી બંનેને એકલો સંગ્રહ કે એકલો વ્યવહાર યદ્યપિ સ્વીકાર કરતો નથી. પરંતુ સ્થાપનાના સ્વીકાર રૂપ ધર્મને બંને સ્વીકાર કરી શકે છે. સામાન્ય સ્થાપના જે પ્રકારે સ્થાપના છે, તે પ્રકારે વિશેષ સ્થાપના પણ સ્થાપના છે, તેથી સ્થાપનાનો સ્વીકાર નેગમની જેમ સંગ્રહ અને વ્યવહારમાં પણ સમાન રૂપથી છે. જો તમે એમ કહો કે, જો બંને સ્થાપનાનો સ્વીકાર કરીએ છીએ, તો આ વિષયમાં સંગ્રહ અને વ્યવહારનો ભેદ નહીં રહે. તો આ શંકા યુક્ત નથી. સામાન્ય સ્થાપનાનો સ્વીકાર કરવો સંગ્રહનો અને વિશેષ સ્થાપનાનો સ્વીકાર કરવો વ્યવહારનો અસાધારણ ધર્મ છે, આથી બંનેનો ભેદ પણ છે. જીવના વિષયમાં નિક્ષેપ ઃ एतैश्च नामादिनिक्षेपैर्जीवादयः पदार्था निक्षेप्याः।
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy