SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો કહેવાનો આશય એ છે કે, જુસૂત્રના મતે દ્રવ્ય નિક્ષેપ સિદ્ધ થઈ જવાથી સ્થાપનાનો સ્વીકાર પણ આવશ્યક થઈ જાય છે. પિંડ અવસ્થામાં સુવર્ણ કુંડળ આદિ પર્યાયોના આકારથી રહિત હોય છે. કુંડલપર્યાયરૂપ ભાવનું કારણ હોવાથી સુવર્ણના પિંડને જો જુસૂત્ર દ્રવ્યકુંડળ આદિના રૂપમાં માની શકે છે, તો સ્થાપનાને માનવામાં કોઈ આપત્તિ ન હોવી જોઈએ. સુવર્ણનો પિંડ જોઈને તેના માટે કુંડલ આદિ શબ્દનો પ્રયોગ નથી થતો. પરંતુ ઈન્દ્રની પ્રતિમા જોઈને ઈન્દ્ર શબ્દનો પ્રયોગ થાય છે. સુવર્ણના પિંડમાં કુંડલ આદિનો આકાર નથી પરંતુ પ્રતિમામાં ઈન્દ્રનો આકાર છે. ભાવઈન્દ્રનો જે રીતે વર્તમાન કાળની સાથે સંબંધ છે, તે રીતે સ્થાપના ઈન્દ્રનો પણ અર્થાત્ ઈન્દ્રની પ્રતિમાનો પણ વર્તમાનકાળ સાથે સંબંધ છે. આ વસ્તુ અનુભવથી સિદ્ધ છે, તેથી 28જુસૂત્રના મતમાં સ્થાપનાને માનવી યુક્ત છે. હવે આ વિષયમાં અન્ય યુક્તિ બતાવીને વધુ સ્પષ્ટતા કરે છે. किञ्च, इन्द्रादिसंज्ञामात्रं तदर्थरहितमिन्द्रादिशब्दवाच्यं वा नामेच्छन् अयं भावकारणत्वाविशेषात् कुतो नाम द्रव्यस्थापने नेच्छेत् ? । प्रत्युत सुतरां तदभ्युपगमो न्याय्यः। इन्द्रमूर्तिलक्षणद्रव्यविशिष्टतदाकाररूपस्थापनयोरिन्द्रपर्यायरूपे भावे तादात्म्यसंबन्धेनावस्थितत्वात्तत्र वाच्य-वाचकभावसम्बन्धेन संबद्धान्नाम्नोऽपेक्षया सन्निहिततरकारणत्वात्। અર્થ :- ઉપરાંત, આ ત્રસૂત્ર કેવળ ઈન્દ્ર આદિ સંજ્ઞા રૂપ નામને અથવા ઈન્દ્ર આદિ અર્થથી રહિત ઈન્દ્ર આદિ શબ્દ દ્વારા વાચ્ય વસ્તુરૂપ નામને માને છે. તો ભાવનું કારણ થવામાં કોઈ ભેદ ન હોવાથી દ્રવ્ય અને સ્થાપનાને કેમ નહીં માને? ઉછું, તેને માનવું વધારે ઉચિત છે. ઈન્દ્ર મૂર્તિરૂપ દ્રવ્ય અને ઈન્દ્રના વિશિષ્ટ આકાર રૂપ સ્થાપના, આ બંને ઈન્દ્ર પર્યાયરૂપ ભાવમાં તાદાત્ય સંબંધથી રહે છે, પરંતુ નામ વાચ્ય
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy