SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ “જેનદર્શનમાં નિક્ષેપયોજન ૩૦૯ એવંભૂત આ ત્રણેય શબ્દનય પ્રધાનરૂપે વિચાર કરે છે. ઘટન ક્રિયામાં સમર્થ ઘટ જ ઘટ છે. આ વસ્તુ સાથે શબ્દનયોનો સંબંધ છે. પાણી લાવવું ઘટન ક્રિયા છે. પાણી લાવવું એક પર્યાય છે, તે અનુગામી દ્રવ્ય નથી. આ પર્યાય વિશેષની સાથે મુખ્યરૂપે સંબંધ રાખવાના કારણે શબ્દનય ભાવબોધક કહેવાય છે. જલ લાવવામાં સમર્થ ઘટ ભાવ ઘટ છે. તે જે પ્રકારે નામઘટ અથવા સ્થાપનાઘટ નથી, તે રીતે દ્રવ્ય ઘટ પણ નથી. ભાવ ઘટનું કારણ છે મૃત્યિંડ. તેની સાથે શબ્દનયોનો સંબંધ નથી. માટીના પિંડથી પાણી લાવી શકાતું નથી. પોતાના આકારમાં જ્યારે ઘટ બની જાય છે, ત્યારે જ પાણી લાવી શકાય છે. શબ્દનો પ્રમાણે દ્રવ્ય ઘટને ઘટ કહી શકાતો નથી. શબ્દ અને અર્થના વાચ્ય-વાચક ભાવની સાથે જુસૂત્રનો સંબંધ નથી, તે વર્તમાનકાળ સાથે સંબંધ રાખવાવાળા અર્થને સ્વીકારે છે. વર્તમાનકાળનો પર્યાય અતીત અને અનાગતમાં નથી, તેથી દ્રવ્યના અનુગામી સ્વરૂપની સાથે યદ્યપિ ઋજુસૂત્રનો સીધો સંબંધ નથી પરંતુ ગૌણ રૂપે સંબંધ અવશ્ય છે. ઋજુસૂત્ર નય વર્તમાન પર્યાયના આધારભૂત દ્રવ્યની એકતાનો નિષેધ નથી કરતો. ભાવ ઘટ દ્રવ્ય વિના પ્રતિષ્ઠિત થઈ શકતો નથી. ભાવ ઘટમાં પણ ઉત્તરવર્તી ક્ષણોમાં ઘટને ઉત્પન્ન કરવાની શક્તિ છે. આ અપેક્ષાએ તે પણ દ્રવ્ય ઘટ છે. આ સ્વરૂપના દ્રવ્ય ઘટનો નિષેધ ઋજુસૂત્ર કરી શકતો નથી. આથી વિશેષાવશ્યકના કર્તા પોતાના મતે આ જુસૂત્રને પણ નેગમ આદિની જેમ દ્રવ્યાર્થિકનો ભેદ માને છે અને 8 જુસૂત્ર પ્રમાણે દ્રવ્ય નિક્ષેપનો પણ સ્વીકાર કરે છે. હવે ઋજુસૂત્ર નય નામ અને ભાવ નિક્ષેપને જ માને છે, અને દ્રવ્યનિક્ષેપને નહીં, આ માન્યતાનું ખંડન કરે છે. ऋजुसूत्रो नामभावनिक्षेपावेवेच्छतीत्यन्ये, तत्र (तन्न); ऋजुसूत्रेण
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy