SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો શકતા. જો હોઈ શકે તો તેના આશ્રય અર્થમાં પણ ભેદ થઈ જવો જોઈએ. અહીં તાત્પર્યાર્થ એ છે કે, પર્યાયોને પ્રધાન માનીને ગુણીનો વિચાર કરવામાં આવે તો જે કાળે એક અર્થમાં સત્ત્વ છે, તે જ કાળે અસત્ત્વ રહી શકતું નથી. એક કાળમાં સત્ત્વ અને અસત્ત્વ બંને રહે તો તેના આશ્રય ભિન્ન થઈ જવા જોઈએ. ગોત્વ અને અશ્વત્વ બે ભિન્ન ધર્મ છે. બંનેના આશ્રય ગો અને અશ્વ છે. એક કાળમાં રહેવાને કારણે ગોત્વ અને અશ્વત્વનો ભેદ નથી થતો. (२) नानागुणानां सम्बन्धिन आत्मस्वरूपस्य च भिन्नत्वात्, अन्यथा तेषां भेदविरोधात्। અર્થ (૨) અનેક ગુણોનો સંબંધી આત્મરુપ પણ ભિન્ન હોય છે. જો ભિન્ન ન હોય તો ગુણોમાં ભેદ નહીં થઈ શકે અર્થાત પુષ્પ આદિ ગુણી અર્થોમાં રૂપ, રસ આદિ ગુણોનું સ્વરૂપ પરસ્પર ભિન્ન હોય છે. જો સ્વરૂપ ભિન્ન ન હોય તો રૂપ આદિમાં ભેદ ન હોવો જોઈએ. રૂપ આદિની જેમ સત્ત્વ અને અસત્ત્વ આદિ ધર્મ પણ પોતપોતાના સ્વરૂપથી ભિન્ન છે. જો એમનું સ્વરૂપ ભિન્ન ન હોય, તો સત્વ અસત્વરૂપે અને અસત્ત્વ સત્વરૂપે પ્રતીત થવું જોઈએ. (3) स्वाश्रयस्यार्थस्यापि नानात्वात्, अन्यथा नानागुणाश्रयत्वविरोधात्। અર્થ :- (૩) ગુણોનો આશ્રય અર્થ પણ ભિન્ન ભિન્ન છે, જો ભિન્ન ન હોય તો તે અનેક ગુણોનો આશ્રય ન થઈ શકત. (४) सम्बन्धस्य च सम्बन्धिभेदेन भेददर्शनात्, नानासम्बन्धिभिरेकत्रैकसम्बन्धाघटनात्। અર્થ - (૪) સંબંધીઓના ભેદથી સંબંધનો ભેદ પણ દેખાય છે. અનેક સંબંધી એક સ્થાનમાં એક સંબંધની રચના કરી શકતા નથી. અર્થાત્ પ્રતિયોગી અને અનુયોગીના ભેદથી સંબંધનો ભેદ જોવામાં આવે છે. ભૂતલ અને ઘટનો જે સંયોગ છે તેનાથી પર્વત અને અગ્નિનો સંયોગ ભિન્ન છે. જો ભૂતલ અને ઘટનો જે સંયોગ છે, તે જ પર્વત અને
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy