SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ - અનેકાંતવાદ' અનેકાંતને જણાવનારા શાસ્ત્રીય અને લોકિક ઉદાહરણો :(૧) અજ્ઞાનના ત્રણ પ્રકાર છે. સંશય, વિપર્યય અને અનધ્યવસાય. તેમાં સંશય એક અખંડ અજ્ઞાન છે. છતાં પણ એક જ સંશય જ્ઞાનમાં કોઈ ચાડીયાને જોઈને) “આ ઠુંઠું છે કે માણસ છે' - આવા પ્રકારના સંશયાત્મકજ્ઞાનમાં (પરસ્પર વિરોધી બે આકારનો પ્રતિભાસ અર્થાત્ પરસ્પર વિરોધી ઉલ્લેખ) થતો જોવા મળે છે અને તે જ એક જ પદાર્થમાં પરસ્પર વિરુદ્ધ ધર્મના અધ્યાસને સ્વીકારતા અનેકાંતનું સમર્થન કરે છે.) (૨) બીજું એક લૌકિક ઉદાહરણ છે મોરનું ઈંડુક). મોરના ઇંડામાં જે રસ (તરલ પ્રવાહી) હોય છે, તેમાં જે નીલ, પીત આદિ વર્ણ હોય છે. તે સર્વે એકરૂપ નથી અને અનેકરૂપ પણ નથી. પરંતુ એકાએકરૂપ હોય છે. અર્થાત્ મોરના ઇંડાના પ્રવાહી રસમાં નીલ, પીત અનેક રંગ દેખાય છે. તે રંગોને સર્વથા એકરૂપ પણ કહી શકાતા નથી અને સ્વતંત્રરૂપે અનેકરૂપ પણ કહી શકાતા નથી. પરંતુ કથંચિત્ એકાનેકરૂપથી (તે પ્રવાહીમાં) તાદાસ્યભાવથી રહે છે. આ જ રીતે વસ્તુમાં એક-અનેક, નિત્ય-અનિત્ય આદિ ધર્મો પણ કથંચિત્ તાદાસ્યભાવથી રહે છે અને તે જ અનેકાંતવાદનું સમર્થન કરે છે. (૩) અન્ય ઉદાહરણ આપતાં જણાવ્યું છે કે..... એક જ વસ્તુમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, આ ચાર નિક્ષેપાઓનો વ્યવહાર થાય છે. તે પણ અનેકાંતનું જ સમર્થન કરે છે. જેમ મોરના ઇંડાના રસમાં નીલાદિ સર્વે વર્ણા અન્યોન્ય (પરસ્પર) મળીને રહે છે, તેમ એક વસ્તુમાં 7. संशयज्ञानमेकमुल्लेखद्वयात्मकं प्रतिजानानि नानेकान्तं प्रतिक्षिपन्ति। (षड्. समु. बृहद्वृत्तिः રનો-૫૭ ટી.) 8. मयूराण्डरसे नीलादयः सर्वेऽपि वर्णा नैकरूपा नाप्यनेकरूपाः, किंत्वेकानेकरूपा यथावस्थिताः, तथैकानेकाद्यनेकान्तोऽपि। तदुक्तं नामस्थापनाद्यनेकान्तमाश्रित्य - "मयूराण्डरसे यद्वद्वर्णा नीलादयः સ્થિતી: સર્વેડપ્યો સંમિશ્રાતત્રામવિયો ટા'' (મુ. વૃત્તિ: પત્તો-૫૭-ટી)
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy