SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ - અનેકાંતવાદ' ૪. પ્રત્યેક વસ્તુ કથંચિત્ વિસદશ છે અર્થાત્ વિશેષરૂપ છે. ૫. પ્રત્યેક વસ્તુ કથંચિત્ વાચ્ય છે અર્થાત્ વક્તવ્ય છે. (અભિલાપ્ય છે.) ૬. પ્રત્યેક વસ્તુ કથંચિત્ અવાચ્ય છે અર્થાત્ અવક્તવ્ય છે (અનભિલાપ્ય છે.) ૭. પ્રત્યેક વસ્તુ કથંચિત્ સત્ છે - અતિ છે - વિદ્યમાન છે. ૮. પ્રત્યેક વસ્તુ કથંચિત્ અસત્ છે - નાસ્તિ છે- અવિદ્યમાન છે. આ રીતે વસ્તુના નિત્ય-અનિત્યરૂપ, સામાન્ય-વિશેષરૂપ, અભિલાપ્ય - અનભિલાષ્યરૂપ અને અસ્તિત્વ-નાસ્તિત્વરૂપ ચાર લક્ષણો બતાવ્યા છે. અહીં ચાર મૂળભેદથી વસ્તુની અનેકાંતતા દર્શાવી છે. શંકા): એક જ વસ્તુમાં (પદાર્થમાં) પરસ્પર વિરુદ્ધ ધર્મોના અસ્તિત્વનો યોગ થઈ શકતો નથી. તેથી તમારો સ્યાદ્વાદ સિદ્ધાંત સત્ય કઈ રીતે હોઈ શકે! તે અસત્ જ કહેવાય ને? સમાધાન : તમારી વાત યોગ્ય નથી. કારણ કે, તમે સ્યાદ્વાદ સિદ્ધાંતના રહસ્યને સમજ્યા જ નથી. સ્યાદ્વાદ સિદ્ધાંતે એકાંત નિત્ય પક્ષ અને એકાંત અનિત્ય પક્ષનો ત્યાગ કરીને કથંચિત્ નિત્ય-સત્ અને કથંચિત્ અનિત્ય-અસત્ પક્ષનો અંગીકાર કરેલો છે અને જગતમાં કેવા પ્રકારનો જ અનુભવ થતો જોવા મળે છે. સ્યાદ્વાદ સિદ્ધાંત કોઈપણ પદાર્થમાં એકાંતે કોઈ ધર્મનો સ્વીકાર કે નિષેધ કરતો જ નથી. પરંતુ તેનાથી વિલક્ષણ એક અપેક્ષાથી એક ધર્મનો સ્વીકાર અને 5. न चैकत्र वस्तुनि परस्परविरूद्धधर्माध्यासायोगादसन् स्याद्वाद इति वाच्यम्। (षड्दर्शन समुच्चय-लघुवृत्ति:-श्लो-४६ टीका) 6. नित्यपक्षानित्यपक्षविलक्षणस्य कथंचित्सदसदात्मकस्य पक्षान्तरस्या-ङ्गीक्रियमाणत्वात् तथैव च सर्वैरनुभवादिति। तथा च पठन्ति "भागे सिंहो नरो भागे योऽर्थो भागद्वयात्मकः तम्भागं विभागेन નરસિહં પ્રવા ()” (પુ.મુ-તપુવૃત્તિ:-શ્નો-૪૬ ટીવI)
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy