SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તભંગી वासन्तिकादित्वेन । भावत: श्यामादित्वेन, न रक्तादित्वेनेति । (जैनतर्कभाषा) I ૨૩૯ અર્થ : ઘટ આદિ, દ્રવ્યની અપેક્ષાએ પાર્થિવ આદિ સ્વરૂપ છે. જલ આદિ રૂપે નથી. ઘટ ક્ષેત્રની અપેક્ષાએ પાટલિપુત્રનો છે, કાન્યકુબ્જનો નથી. ઘટ કાળની અપેક્ષાએ શિશિર ઋતુનો છે, વસંતૠતુનો નથી. ભાવની અપેક્ષાએ શ્યામ આદિ રૂપમાં છે, રક્ત આદિ રૂપનો નથી. કહેવાનો ફલિતાર્થ એ છે કે, પ્રત્યેક દ્રવ્યનું કોઈ ઉપાદાન કારણ હોય છે અને તે કોઈ દેશમાં અને કોઈ કાળમાં હોય છે. જ્યારે દ્રવ્ય પ્રતીત થાય છે, ત્યારે પોતાના ગુણો અને પર્યાયો સાથે પ્રતીત થાય છે. ગુણ અને પર્યાયની સાથે અર્થનું પ્રતીત થવાવાળું સ્વરૂપ ‘ભાવ’’ છે. જ્યારે કોઈ અર્થ પ્રતીત થાય છે, ત્યારે ઉપાદાન કારણ, દેશ, કાળ અને પોતાના ગુણો અને પર્યાયોની સાથે પ્રતીત થાય છે. માટીનો ઘડો જ્યારે દેખાય છે ત્યારે ઉપાદાન કારણ માટી પણ દેખાય છે, તે કોઈને કોઈ દેશમાં અને કોઈને કોઈ કાળમાં પ્રતીત થાય છે. કોઈ ગુણ અને પર્યાય પણ દૃષ્ટિ ર્ગોચર થાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ વગર કોઈ અર્થનું સ્વરૂપ વિચારમાં પણ લાવવામાં નથી આવતું. અર્થ સાથે અપરિહાર્યરૂપે રહેવાવાળા દ્રવ્ય, ક્ષેત્ર આદિ અર્થના પોતાના હોય છે. જે દ્રવ્ય-ક્ષેત્ર આદિ સ્વ નથી અર્થાત્ પોતાના નથી, તેની અપેક્ષાએ અર્થ સત્ નથી થતો, ઘટ જ્યારે છે ત્યારે પોતાના ઉપાદાન પૃથ્વીની સાથે રહે છે. પૃથ્વી વગર ઘટ રહી શકતો નથી. જલ ઘટનું ઉપાદાન કારણ एवकारस्य क्रियासंगतत्वादत्यन्तायोगव्यवच्छेदेन भवितव्यं तथा सति विवक्षिताऽर्थासिद्धिः स्यात्, कस्मिंश्चिद् घटे अस्तित्वस्याभावेऽपि 'स्यादस्त्येव घट:' इत्याकारकप्रयोगसम्भवात्, यथा कस्मिंश्चित् सरोजे नीलत्वाऽभावेऽपि 'नीलं सरोजं भवत्येव' इत्याकारकप्रयोग इति चेत्, न, राद्धान्तेऽत्रायोगव्यवच्छेदकस्यैवकारस्य स्वीकृतत्वात्। क्रियासंगतैवकारोऽपि क्वचिदयोग-व्यवच्छेदबोधको भवति, यथा- 'ज्ञानमर्थं गृह्णात्येव' इत्यत्र ज्ञानत्वसमानाधिकरणात्यन्ताभावाप्रतियोगित्वस्य अर्थग्राहकत्वे बोधः । एवं 'स्यादस्त्येव घटः' इत्यादिष्वपि अयोगव्यवच्छेदक एव एवकारो बोद्धव्यः । यद्यपि राद्धान्ते सत्त्वमिवाऽसत्त्वमपि घटस्य स्वरूपमेव, तथापि 'स्यादस्त्येव घट:' इत्यत्र सत्त्वस्य प्राधान्येन भानम्, असत्त्वस्य चाप्राधान्येन । एवं द्वितीयभङ्गे नास्तित्वस्य प्राधान्येन अस्तित्वस्य चाप्राधान्येन भानम् । एवमन्यभङ्गेष्वपि ज्ञातव्यम् ।।१५।।
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy