SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો જાણી શકતી નથી. જો આદિમ દશાના અવયવ રૂપ ૨સ આદિ ગુણોથી રહિત હોય, તો સ્થૂલ અવયવીમાં રૂપ, રસ આદિનો જન્મ નહીં થઈ શકે. ઈન્દ્રિયો દ્વારા જેનો અનુભવ પ્રત્યક્ષ રૂપે ન થઈ શકે, તેની સત્તા સ્થૂલ અર્થોને માટે પણ અપરિહાર્ય છે. આ તત્ત્વની ઉપેક્ષા કરીને ચાર્વાક પૃથ્વી આદિ ચાર સ્થૂલ દ્રવ્યોનો તો સ્વીકાર કરી લે છે, પણ જેનો અનુભવ ઈન્દ્રિયો દ્વારા થઈ નથી શકતો, તેનો અનુમાનથી સિદ્ધ થવા છતાં પણ નિષેધ કરવા લાગે છે. ૨૨૨ સ્થૂલ શરીર પ્રત્યક્ષ છે. તેનો જ સ્વીકાર કરે છે. શરીરથી ભિન્ન ચેતન દ્રવ્યને નથી માનતો. તેમનો આ મત અનુમાનથી વિરુદ્ધ છે. સ્કૂલ દ્રવ્યોના ગુણોનું સંવેદન તે નિયમને પ્રગટ કરે છે. જેના દ્વારા જ્ઞાનસુખ આદિ ગુણ શરીરના સિદ્ધ નથી થતા, સ્થૂલ દ્રવ્યોમાં સૂક્ષ્મ દ્રવ્ય પ્રવેશ કરી જાય છે. તે દશામાં સ્કૂલ દ્રવ્યનો સ્વાભાવિક ગુણ પ્રતીત થતો નથી અને અંદર પ્રવિષ્ટ થવાવાળા દ્રવ્યનો ગુણ સ્થૂલ દ્રવ્યમાં પ્રતીત થવા લાગે છે. પાણી શીતળ દ્રવ્ય છે અને તેજ ઉષ્ણ દ્રવ્ય છે. જ્યારે તેજના અવયવ પાણીની અંદર ચાલ્યા જાય છે, ત્યારે પાણીના શીત સ્પર્શનો અનુભવ નથી થતો. તે દશામાં પાણીનો સ્પર્શ ઉષ્ણ પ્રતીત થવા લાગે છે. વાસ્તવમાં ઉષ્ણ સ્પર્શ તેજનો છે. પરંતુ જલના ગુણરૂપમાં પ્રતીત થાય છે. શરીર પણ ભૌતિક છે. રૂપ-ગંધ આદિ તેના ગુણ છે, જેનો અનુભવ ઈન્દ્રિયો દ્વારા થતો રહે છે. શરીરની જેમ જે અર્થ પૃથ્વી, જલ આદિથી ઉત્પન્ન થાય છે, તેમાં જ્ઞાન, ઈચ્છા, સુખ આદિના હોવાનું પ્રમાણ નથી મળતું. આ દશામાં અનુમાન થાય છે. શરીરમાં જ્ઞાન, સુખ આદિ જે ગુણોનું સંવેદન થાય છે, તે ગુણ વાસ્તવમાં શરીરના નથી. શરીરની અંદ૨ પ્રવેશ કરવાવાળું કોઈ સૂક્ષ્મ દ્રવ્ય છે, જેના ગુણ જ્ઞાન સુખ આદિ છે. પણ શરીરના ગુણ થઈને પ્રતીત થાય છે. જો જ્ઞાન
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy