SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદ ૨ ૧ ૧ ભાંગો સંગ્રહ અને વ્યવહાર દ્વારા પ્રવૃત્ત થાય છે. “થાત્ સ્તિ, ચાત્ મવવક્તવ્ય',આ પાંચમાં ભાંગો સંગ્રહ અને ઋજુસૂત્રથી પ્રગટ થાય છે. ચાત્ નાપ્તિ થાત્ વવક્તવ્ય” આ છઠ્ઠો ભાગો વ્યવહાર અને 8 જુસૂત્રનો આશ્રય લે છે. “યાત તિ, ચા નાસ્તિ, ચા વવક્તવ્ય” આ સાતમો ભાંગો સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્રનો આશ્રય લે છે. વ્યંજન પર્યાય અર્થાત્ સામત, સમભિરૂઢ અને એવંભૂત નય પ્રમાણે સપ્તભંગીનું સ્વરૂપ કંઈક ભિન્ન થઈ જાય છે. એમાંથી સાંપ્રતનું અન્ય નામ શબ્દ પણ છે. આ શબ્દ અથવા સાંપ્રત નય દ્વારા ઘટ બધા જ પર્યાય શબ્દોથી વાચ્ય છે. તેથી ઘટના વાચક જેટલા શબ્દ છે તેના દ્વારા વાચ્ય રૂપે ઘટ કથંચિત્ સત્ છે, આ પ્રથમ ભાંગો પ્રકટ થાય છે. સમભિરૂઢ અને એવંભૂત નય મુજબ ઘટના વાચક જેટલા પર્યાય શબ્દ છે તેના દ્વારા ઘટ વાચ્ય નથી. આથી આ રૂપમાં ઘટ કથંચિત્ અસત્ આ પ્રકારનો બીજો ભાંગો પ્રગટ થાય છે. ત્રીજો ભાંગો સ્યાત્ અવક્તવ્ય છે, તે આ ત્રણેય નયોનો આશ્રય લઈને પ્રગટ થાય છે. લિંગના ભેદથી અર્થ ભિન્ન થઈ જાય છે, તેથી ઘટ કોઈ એક શબ્દ દ્વારા વાચ્ય નથી. તેથી સ્યાત્ અવક્તવ્ય છે. પર્યાયના ભેદથી અર્થ ભિન્ન છે, તેથી એક શબ્દ ભિન્ન અર્થનો વાચક નથી. તેથી સમભિરૂઢ નય મુજબ ઘટ સ્વાતું અવક્તવ્ય છે. ક્રિયાના ભેદથી અર્થ ભિન્ન થઈ જાય છે, તેથી એવંભૂત નય મુજબ ઘટ સ્યાત્ અવક્તવ્ય છે. સ્યાત્ અતિ અને સ્યાત્ નાસ્તિ અને આ પ્રથમ અને બીજા ભાંગાના સંયોગથી “સ્યાત્ અસ્તિ સ્યાત્ નાસ્તિ” આ ચતુર્થ ભાંગો પ્રગટ થાય છે. પ્રથમ, બીજા અને ચોથાં ભાંગાની સાથે સ્યાત્ અવક્તવ્ય આ ત્રીજા ભાંગાનો સંયોગ થવાથી પાંચમો, છઠ્ઠી અને સાતમો ભાંગો પ્રગટ થાય છે, એમાંથી પહેલાંની સાથે ત્રીજા અવક્તવ્ય ભાંગાનો સંયોગ
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy