SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદ ૨૦૯ સત્ત્વ સામાન્યનો સ્વીકાર કરે છે, તે મુજબ ઘટ કોઈ અપેક્ષાએ સત્ જ છે. અસત્ અર્થનું જ્ઞાન નથી થતું. આકાશનું પુષ્પ અસત્ છે તેથી તેનો અનુભવ નહીં થાય. જો ઘટ અસતું હોય તો આકાશ પુષ્પની જેમ તેનું જ્ઞાન ન થવું જોઈએ. વ્યવહારનયનો આશ્રય લઈને તેનો નિષેધ થઈ શકે છે. વ્યવહાર નય અનુસાર કહેવાશે કે, ઘટ કેવલ સત્ નથી, દ્રવ્યત્વ અને ઘટવ આદિ રૂપથી પણ જ્ઞાન થાય છે. એ જ રીતે 8 જુસૂત્રનયનો આશ્રય લઈને નિષેધની કલ્પના થાય છે. વર્તમાન સ્વરૂપથી ભિન્ન સ્વરૂપ સાથે ઘટ પ્રતીત નથી થતો. જો અન્ય રૂપો સાથે પ્રતીત થાય તો ઘટમાં અનાદિ અને અનંત સત્તાનો અનુભવ થવો જોઈએ. પરંતુ ઘટમાં અનાદિ અને અનંત કાળના પર્યાયોમાં રહેવાવાળી સત્તાનો અનુભવ નથી થતો. તેથી ઋજુસૂત્ર નય પ્રમાણે ઘટ કથંચિત્ સતું જ નથી. આ જ રીતે શબ્દનયનો આશ્રય લઈને નિષેધની કલ્પના થાય છે. કાલ, કારક આદિના ભેદથી અર્થ ભિન્ન દેખાઈ આવે છે. વર્તમાનમાં જે અર્થ છે, તે જ અતીત અને અનાગતમાં નથી. અતીત અને અનાગતની અપેક્ષાએ ઘટ કથંચિત્ અસત્ પણ છે. જો કાલ આદિના ભેદથી અર્થમાં ભેદ ન હોય, તો કાલ આદિનો ભેદ જ સિદ્ધ નહીં થઈ શકે. સમભિરૂઢનો આશ્રય લઈને પણ નિષેધની કલ્પના થઈ શકે છે. ઘટ સત્ જ નથી થઈ શકતો. ઘટ શબ્દ દ્વારા જ્યારે કહેવામાં આવે ત્યારે ઘટ છે પણ જ્યારે કલશ અથવા કુંભ શબ્દથી કહેવામાં આવે તો ઘટ નથી. ઘટ અને કુંભમાં ભેદ છે. જો પર્યાયોના ભેદથી અર્થમાં ભેદ ન હોય, તો અર્થનો વાચક એક જ શબ્દ થઈ જવો જોઈએ. તેથી ભિન્ન પર્યાયને લઈને ઘટ કથંચિત્ અસત્ પણ છે. આ જ રીતે એવંભૂતનો આશ્રય લઈને ઘટનો નિષેધ થઈ શકે છે. જે કાળમાં ઘટથી જલ લઈ આવવામાં આવે છે, ત્યારે જ ઘટ છે પરંતુ જ્યારે જલ
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy