SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો નિયત સ્થાને પહોંચી શકે છે. જ્ઞાન અને ક્રિયા બંને મળીને મોક્ષનાં કારણ છે. જ્યાં સુધી શૈલેશી દશામાં શુદ્ધ સંયમ પ્રગટ થતું નથી, ત્યાં સુધી ક્ષાયિક કેવળજ્ઞાન મોક્ષ નથી આપી શકતું. એટલે જ્ઞાન અને કર્મ બંને મોક્ષના પ્રધાન કારણ છે, આ સિદ્ધાંતપક્ષ છે. નૈગમ આદિનય શુદ્ધજ્ઞાનની અથવા શુદ્ધક્રિયાની પ્રધાનતા માને છે. જ્ઞાન વગેરે ત્રણેયની નહીં, આ સિદ્ધાંતથી નયોમાં ભેદ છે, આ વિષયમાં અધિક સ્પષ્ટતાઓ ‘નયોપદેશ'’ ગ્રંથથી જાણી લેવી. ૧૯૮ નયોના ન્યૂનાધિક વિષયોનો વિચાર : प्रश्न: क: पुनरत्र बहुविषयो नय: को वाऽल्पविषय: इति चेत् (जैनतर्कभाषा) પ્રશ્નઃ અર્થ : આ નયોમાં કયા નયનો વિષય અધિક છે અને કયા નયનો ન્યૂન છે? ઉત્તરઃ પૂર્વોક્ત પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર આપતાં પ્રમાણનયતત્ત્વાલોકમાં કહ્યું છે કે, પૂર્વ: પૂર્વી નય: પ્રદ્યુોચર: ૫: વસ્તુ પરિમિતવિષય: ।।૭-૪૬।। (પ્ર.ન.તત્ત્વા.) અર્થ : પૂર્વ પૂર્વના નયના વિષય પ્રચુર છે, ઉત્તર-ઉત્તરના નયના વિષય પરિમિત છે. હવે ક્રમશઃ નયોના વિષયની અધિકતા - અલ્પતાનું વિવેચન કરવામાં આવે છે નૈગમનયનો વિષય અધિક છે ઃ सन्मात्रगोचरात्संग्रहात्तावन्नैगमो बहुविषयो भावाभावभूमिकत्वात् । (86) (બૈનતમાષા) 86. नैगम एव संग्रहात्पूर्व इत्याहुः सन्मात्रगोचरात् संग्रहाद् नैगमो भावाभावभूमिकत्वाद् भूमविषयः ।।७ - ४७ ।। संग्रहनयो हि सन्मात्रविषयत्वाद् भावावगाह्येव, नैगमस्तु भावाभावविषयत्वादुभयावगाहीति बहुविषयः ।। ४७ ।।
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy