SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદ ૧૮૭ દેવદત્ત આદિ શબ્દોને કેટલાક લોકો યદચ્છા શબ્દ કહે છે. ત્યાં પણ વ્યુત્પત્તિ પ્રમાણે દેવોના દ્વારા દાન ક્રિયાનો સંબંધ કોઈને કોઈ રૂપે પ્રતીત થાય છે. જેને દ્રવ્ય શબ્દ કહીએ છીએ, તે પણ સંયોગી દ્રવ્યને અથવા સમવાયી દ્રવ્યને કહીએ છીએ. સંયોગ ગુણ છે, પરંતુ જ્યારે સંયોગ થાય છે, ત્યારે જ સંયોગી દ્રવ્ય શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. દંડનો સંયોગ થવો પણ ક્રિયા છે. જ્યાં સુધી દંડનો સંયોગ છે, ત્યાં સુધી જ દંડી કહેવાય છે. તેથી આ પણ ક્રિયા શબ્દ છે. જ્યારે લોકો શબ્દોને પાંચ પ્રકારના કહે છે, ત્યારે વ્યુત્પત્તિ દ્વારા પ્રતીત થવાવાળી ક્રિયાને ગૌણ માનીને અને જાતિ ગુણ વગેરેને પ્રધાન માનીને વ્યવહાર કરે છે. નિશ્ચય નય અનુસાર વિચાર કરવાથી બધાં જ શબ્દોમાં ક્રિયા વિદ્યમાન છે. આ પદ્ધતિથી એવંભૂત નય બધાં જ શબ્દોને ક્રિયા શબ્દ કહે છે. આ પ્રકારે સાત નયોનું નિરૂપણ પૂર્ણ થાય છે. અર્થનય શબ્દનય ઃ હવે સાત નયોનું અર્થનય અને શબ્દનયમાં વિભાગીકરણ કરતાં જૈનતર્ક ભાષામાં કહ્યું છે કે, एतेष्वाद्याश्चत्वारः प्राधान्येनार्थगोचरत्वादर्थनया: अन्त्यास्तु त्रयः प्राधान्येन શોષવાન્છન્દુનયા: (84) અર્થ : આ સાત નયોમાં આદિના (શરૂઆતના) ચાર પ્રધાનરૂપે અર્થના વિષયમાં છે તેથી અર્થનય છે અને અંતિમ ત્રણ મુખ્યરૂપે શબ્દના વિષયમાં છે તેથી શબ્દનય છે. કહેવાનો આશય એ છે કે, નય શ્રુત પ્રમાણનો ભેદ છે. અર્થોમાં અનેક પ્રકારના ધર્મ છે. દ્રવ્ય આદિની અપેક્ષાએ કોઈ 84. તેવુ પત્નાર: પ્રથમ, અનિરૂપળપ્રવણત્વાર્થનયા: +૭-૪૪+શેષાસ્તુ ત્રય: शब्दवाच्यार्थगोचरतया શનયા: ।।૭-૪૬||
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy