SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો નથી, તેમની વાતોમાં પૂર્વાપર વિરોઘ આવે છે. તદુપરાંત, સંશયાદિ દોષો ઉભા થાય છે. જ્યારે જૈનદર્શને અનેકાંત (સ્યાદ્વાદ) નો આશરો લીધો હોવાથી જગતના પદાર્થોને સર્વાગીણ રીતે સમજાવી શક્યા છે અને તેમની વાતોમાં પૂર્વાપર વિરોધો કે સંશયાદિ દોષો પણ આવતા નથી. અહીં યાદ રાખવું કે, અનેકાંતવાદ, વિભજ્યવાદ કે સાપેક્ષવાદ, એ સ્યાદ્વાદના જ બીજા નામો છે. જેનદર્શને જગતના પદાર્થોને અનંતધર્માત્મક જણાવ્યા છે અને તે વાત પ્રતીતિમાં પણ આવે છે. સામાન્યજનને સહજતાથી સમજાય એ માટે સ્યાદ્વાદનો આશરો લીધો છે. કોઈપણ વસ્તુમાં એક નહીં પણ અનેક ધર્મો-ગુણધર્મો રહે છે, તે આપણે પ્રત્યક્ષથી પણ જોઈ શકીએ છીએ. અહીં યાદ રાખવું કે, જૈનદર્શન શ્રીજિનેશ્વર પરમાત્માનું દર્શન છે. સર્વજ્ઞ-વીતરાગ શ્રીજિનેશ્વર પરમાત્માએ પોતાના કેવલજ્ઞાનના પ્રકાશમાં જગતને જે રીતે જોયું છે અને જાણ્યું છે, તે જ રીતે બતાવ્યું છે. તેમાં વસ્તુની જે અનંતધર્માત્મકતા દેખાઈ છે, તેને સામાન્યજન સમજી શકે તે માટે સ્યાદ્વાદનો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો છે. સ્યાદ્વાદનો સિદ્ધાંત વસ્તુનું સ્વરૂપ નક્કી કરતો નથી, પરંતુ વસ્તુનું જ સ્વરૂપ છે તેને સમજાવવાનું કાર્ય કરે છે. એક જ પદાર્થમાં જુદી જુદી અપેક્ષાએ ભિન્ન-ભિન્ન ધર્મોનો સ્વીકાર કરવો તે સ્યાદ્વાદ છે. અર્થાત્ સત્ત્વ-અસત્ત્વ, નિત્યત્વ-અનિત્યત્વ, અભિલાપ્યત્વ-અનભિલાપ્યત્વ, આદિ પરસ્પર વિરુદ્ધ ધર્મોનો પણ એક પદાર્થમાં અપેક્ષા ભેદથી સ્વીકાર કરવો તે સ્યાદ્વાદ સિદ્ધાંતનું કાર્ય છે. જેમ વસ્તુમાં કોઈક અપેક્ષાથી સર્વ (અસ્તિત્વ) ધર્મ રહે છે, તેમ બીજી કોઈક અપેક્ષાથી અસત્ત્વ (નાસ્તિત્વ) ધર્મ પણ રહે જ છે. જેમ કે, ઘટ પદાર્થમાં માટીની અપેક્ષાએ સત્ત્વ ધર્મ છે, તો તંતુની અપેક્ષાએ અસત્ત્વ
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy