SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો પ્રશ્ન. પર્યાય દ્રવ્ય વગર થઈ શકતો નથી, તો પણ જુસૂત્ર નય દ્રવ્યની ઉપેક્ષા કરીને પર્યાયની પ્રધાનતાએ વિધાન કરે છે, તેમાં સ્પષ્ટરૂપે વ્યવહારનો ભંગ થતો હોય, એવું નથી લાગતું? ઉત્તર કોઈ પ્રકારથી એકને પ્રધાન બનાવીને અન્યને ગૌણ કરવામાં લોક વ્યવહારનો કોઈ પ્રકારે લોપ થતો નથી. નયની પ્રવૃત્તિ જ આ રીતે ચાલે છે. લોક વ્યવહાર તો સકલનયના સમુહથી સાધ્ય છે. આ જ વાતનો ખુલાસો કરતાં 2) નયપ્રકાશાસ્તવમાં કહ્યું છે કે, “જુસૂત્ર નયની રજુઆતમાં પર્યાયના અધિકરણ ભૂત દ્રવ્ય વિદ્યમાન હોવા છતાં પણ તેને ગૌણ કર્યું છે, અનાગત અને અતીત ક્રમશઃ અનુત્ય અને વિનષ્ટ હોવાથી (વર્તમાનમાં એનો) સંભવ નથી અને છતાં પણ આ પ્રકારે માનવાથી લોકવ્યવહારના લોપનો પ્રસંગ પણ આવતો નથી. કારણ કે, જુસૂત્રનય વર્તમાનકાલીન અને સ્વકીય વિષયમાત્રની પ્રરૂપણામાં તત્પર અભિપ્રાય વિશેષ છે અને લોક વ્યવહાર તો સકલનયના સમૂહથી સાધ્ય છે.” વિશેષમાં જુસૂત્રનયના મત પ્રમાણે વર્તમાનમાં જ્ઞાનના ઉપયોગમાં વર્તિત જીવ જ જ્ઞાની છે, દર્શનના ઉપયોગમાં વર્તિત જીવ જ દર્શની છે. કષાયમાં ઉપયુક્ત જીવ જ કાષાયી છે અને સમતાભાવમાં ઉપયુક્ત જીવ જ સામાયિકી છે. જ્ઞાન હોય પણ તેના ઉપયોગમાં ન હોય તો ઋજુસૂત્રનય તેને જ્ઞાની નહીં માને. સામાયિક ક્રિયા કરતા હોય, પરંતુ સમતાભાવમાં ઉપયુક્ત ન હોય તો 22 જુસૂત્રનય તેને સામાયિકી નથી માનતો. 62. द्रव्यस्य सतोऽप्यनर्पणात्, अतीतानागतयोश्च विनष्टानुत्पन्नत्वेन असम्भवात्। न चैवं लोकव्यवहारविलोपप्रसङ्गः, नयस्यास्यैवं विषयमात्रप्ररुपणात्, लोकव्यवहारस्तु सकलनयसमूहસાધ્ય તા (નપ્રાશાસ્તવ)T
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy