SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો માનવા, વનસ્પતિત્વ જાતિથી બધી વનસ્પતિને એક માનવી તે ઉત્તરત : જાતિરૂપ સામાન્ય સંગ્રહની દૃષ્ટિ છે. આંબાના વનમાં “સહાકર વન' અને મનુષ્યોના સમૂહમાં “મનુષ્યવૃંદ” એવો જે વ્યવહાર થાય છે, તે ઉત્તરતઃ સમુદાયરૂપ સામાન્ય સંગ્રહનયની દષ્ટિ છે. અથવા દ્રવ્યત્વેન બધા જ દ્રવ્યોને એક માનવા તે સામાન્યસંગ્રહ નય અને છ દ્રવ્યોમાંથી જીવ કે જે અનેક છે, તે જીવોમાં રહેલા જીવવની અપેક્ષાએ બધાં જીવોને એક માનવા એ વિશેષ સંગ્રહનય છે. ટૂંકમાં, સામાન્ય સંગ્રહનયની દૃષ્ટિએ તમામ દ્રવ્ય એક છે અને વિશેષ સંગ્રહનયની દૃષ્ટિએ (જીવ અન્ય દ્રવ્યોથી ભિન્ન છે અને છતાં પણ) તમામ જીવ એક છે. ટૂંકમાં સંગ્રહનય સંગ્રહ કરવામાં તત્પર હોય છે. જેમ કે “વનસ્પતિ” કહેવાથી તેમાં આંબો, લીમડો, વડ, બાવળ, ગુલાબ વગેરે વનસ્પતિઓનો સંગ્રહ થાય છે. સંગ્રહનય તે આંબા વગેરે બધાને વનસ્પતિ' ના રૂપમાં જ માને છે. અનુયોગદ્વાર સૂત્ર અને નયરહસ્યમાં સંગ્રહનયના 4) બે પ્રકાર આ રીતે બતાવ્યાં છે... સામાન્ય (સત્તા) ને અભિમુખ થઈને વસ્તુને ગ્રહણ કરવાવાળા, વસ્તુનું પ્રતિપાદન કરવાની ઈચ્છા રાખવાવાળા અભિપ્રાયને સામાન્ય પરસંગ્રહ નય કહેવાય છે અને વિવલિત એક જાતિના ઉપરાગથી વસ્તુનું પ્રતિપાદન કરવા ઈચ્છતા અભિપ્રાયને વિશેષ (અપર) સંગ્રહનય કહેવાય છે. આજ વાતને વિશેષાવશ્યક ભાષ્યની ગાથાઓનાં 44. “સહિય-fપંડિત્યે સંવય સમસમો વિંતિ’ કૃતિ સૂત્રમ્ (અનુ. ૨૧ ૨) બત્ર સંગૃથ્રીત सामान्याभिमुखग्रहणगृहीतं, पिण्डितं च विवक्षितैकजात्युपरागेन, प्रतिपिपादयिषितमित्यर्थः। संगृहीतं महासामान्यं, पिण्डितं तु सामान्यविशेषं इति वार्थः।।
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy