SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો તેથી અવ્યભિચારી તત્ત્વ છે, જે બધાને માટે અવ્યભિચારીરૂપ છે, તે જ પારમાર્થિક રૂપ છે. અર્થાત્ ‘‘સત્તા’’ બધા જ પદાર્થોમાં અવ્યભિચરિત રૂપે વૃત્તિ છે. તેથી પારમાર્થિક રૂપ છે. (જે રૂપ એક સ્થળે વૃત્તિ હોય અને અન્ય સ્થળે અવૃત્તિ હોય, તે રૂપ વ્યભિચારી છે.) જે વ્યભિચારી હોય તે પ્રબુદ્ધ (ઉજાગર બનેલી) વાસનાવિશેષ સાથે ઉપસ્થિત હોવા છતાં પણ અપારમાર્થિક છે. અર્થાત્ પદાર્થમાં રહેલા ‘‘સત્ત્વ’’ રૂપ સાથે વાસના વિશેષથી ભલે ગમે તેટલા બીજા રૂપ ઉપસ્થિત થતા હોય, તો પણ તે સત્ત્વની જેમ અવ્યભિચરિત નથી. અર્થાત્ ‘સત્ત્વ’ જે રીતે અબાધિતરૂપે બધાં જ પદાર્થોમાં વૃત્તિ છે. તે જ રીતે ‘સત્ત્વ’ સાથે ઉપસ્થિત થયેલા બીજા રૂપ (ધર્મ) સર્વ પદાર્થોમાં વૃત્તિ નથી, એટલે સર્વ પદાર્થોમાં વૃત્તિ ‘સત્ત્વ’ અવ્યભિચારી છે અને એથી જ પારમાર્થિક છે. તેના સિવાય અન્ય રૂપ અપારમાર્થિક છે. તેથી પ૨સંગ્રહનયની માન્યતા મુજબ ‘સત્તા' એક જ પારમાર્થિક તત્ત્વ છે અને ‘સત્તા’ ની અપેક્ષાએ સર્વ પદાર્થ એક છે, આ પરસંગ્રહનયની દૃષ્ટિ છે. (૨) અપરસંગ્રહનય : ૧૪૪ અપરસંગ્રહનયનું સ્વરૂપ જણાવતાં જૈનતર્કભાષામાં કહ્યું છે કે, द्रव्यत्वादीन्यवान्तरसामान्यानि मन्वानस्तद्भेदेषु गजनिमीलिकामवलम्बमानः પુનર્વસંગ્રહ: ।।(42) દ્રવ્યત્વ આદિ અવાન્તર (અપર) સામાન્યોનો સ્વીકાર કરવાવાળો અને તેના ભેદોમાં (વિશેષોમાં)‘ગજનિમીલિકા'' ન્યાયે ઉપેક્ષા કરવાવાળો અભિપ્રાય અપર સંગ્રહનય છે. અપર સંગ્રહનયની અપેક્ષાએ જીવ વગેરે છ પદાર્થોમાં દ્રવ્યત્વ સામાન્યતઃ 42. द्रव्यत्वादीनि अवान्तरसामान्यानि मन्वानस्तद्भेदेषु गजनिमीलिकामवलम्बमानः पुनरपरसंग्रहः ।। (પ્ર.ન. તત્ત્વાનોઃ-૭-૨૧)
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy