SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો સામાન્યમાત્રગ્રાહી પરામર્શ: સંગ્રહ: - મેં થા, પોડપર્શ્ર્વ (33) ' ‘‘સામાન્ય’’ માત્રને ગ્રહણ કરવાવાળા અભિપ્રાયને સંગ્રહ નય કહેવાય છે. તે સંગ્રહ નય બે પ્રકારનો છે. (૧) પરસંગ્રહ નય અને (૨) અપ૨સંગ્રહ નય. પ્રત્યેક પદાર્થ સામાન્યાત્મક અને વિશેષાત્મક છે. સંગ્રહનય વસ્તુના સામાન્ય ધર્મનેં ગ્રહણ કરે છે. અહીંયાં યાદ રહે કે, જ્યારે સામાન્યનું જ્ઞાન થાય છે, ત્યારે વિશેષોનું પણ જ્ઞાન થાય છે, પરંતુ વિશેષરૂપથી જ્ઞાન નથી થતું. તે કાળમાં વિશેષ પણ સામાન્યરૂપથી પ્રતીત થાય છે. સંગ્રહનય સામાન્ય પ્રતિપાદન પરક “આ સત્ છે’ આ રીતે સામાન્યને જ સ્વીકારે છે, પરંતુ વિશેષને નહીં(34). નય રહસ્ય ગ્રંથમાં વધારે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, નૈગમાદિ નય દ્વારા સ્વીકૃત અર્થનો સંગ્રહ કરવામાં (અર્થાત્ તે પદાર્થોનાં સામાન્ય ધર્મને પુરસ્કૃત કરીને એકમાં સંગ્રહ કરવામાં) તત્પર અધ્યવસાય વિશેષને સંગ્રહનય કહેવામાં આવે છે35). સામાન્યરૂપતયા સર્વ વસ્તુઓનો સંગ્રહ કરે તેને સંગ્રહનય કહેવાય છે3). આ રીતે અનેકાંત વ્યવસ્થામાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ જણાવ્યું છે. સંગ્રહનયના વચનમાં ‘‘સત્તા'' નામનાં મહાસામાન્ય ભાવથી 33. સામાન્યમાત્રપ્રાદી પરામર્શ: સં‰:।। અયમુમયવિહ્ત્વ: પરોડપરથ ।।૧૩-૧૪।। (પ્રમાળનયતત્ત્વાનોળ:) 34. एतदुक्तं भवति - सामान्यप्रतिपादनपरः खल्वयं सदित्युक्ते सामान्यमेव प्रतिपद्यते, न विशेषम् । (अनुयोगद्वार सूत्र - श्री हारीभद्रीय विवृत्ति) 35. વૈશમાધુપાતાર્થસધ્ધપ્રવળોય્યવસાયવિશેષ: સંગ્રહ:। (નયરહસ્ય) 36. સંગ્રહળ = सामान्यरुपतया सर्ववस्तूनामाक्रोडनं संग्रहः । संगृह्णाति सामान्यरूपतया वा सर्वमिति वा संग्रहः ।
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy