SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદ ૧ ૨ ૫ સુખ રૂપ ધર્મથી વિશિષ્ટ ધ જીવનો પ્રતિપાદક હોવાને લીધે આ નગમ નય દ્રવ્ય અને પર્યાય બંનેનો પ્રકાશક છે. પરંતુ ધર્મીનો મુખ્ય રૂપે અને સુખાત્મક ધર્મનો ગૌણ રૂપે પ્રકાશક છે, તેથી પ્રમાણથી ભિન્ન છે. દ્રવ્ય અને પર્યાય બંનેનું પ્રધાન ભાવથી પ્રકાશન થાય તો જ્ઞાન પ્રમાણ થાય છે. નગમનમાં અનેક ધર્મોનું પ્રતિપાદન થાય છે. કોઈપણ વસ્તુ સામાન્ય-વિશેષ ઉભય ધર્માત્મક જ હોય છે. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ બંનેનો ગ્રાહક અધ્યવસાય વિશેષ નગમનાય છે. નેગમનય જ્યારે વસ્તુના મુખ્યતઃ સામાન્ય ધર્મનું પ્રતિપાદન કરે છે, ત્યારે ગૌણ રૂપમાં વિશેષ ધર્મોને સ્વીકૃત રાખે છે અને જ્યારે મુખ્ય રૂપમાં વિશેષ ધર્મનું પ્રતિપાદન કરે છે, ત્યારે ગૌણરૂપમાં સામાન્ય ધર્મોને સ્વીકૃત રાખે છે. મુખ્ય-ગૌણ ભાવ નિયત નથી હોતા. વક્તાની ઈચ્છાનુસાર ક્યારેક દ્રવ્ય અને ક્યારેક પર્યાય મુખ્ય અને ગૌણ થઈ જાય છે. પૂ. પૂર્વાચાર્યોએ “મૈગમ' પદની વ્યુત્પત્તિ આ રીતે કરી છે. નૈગમો નામ:(22) જેમાં કહેવાનો માર્ગ એક નહીં, પરંતુ અનેક છે. તેને ગમનય કહેવાય છે. પૂ. મહોપાધ્યાયશ્રીજીએ નરહસ્યમાં આ જ વાતને જણાવતાં કહ્યું છે કે, 23) નિગમ અર્થાત્ લોક અથવા સંકલ્પ. તેમાંથી જેની ઉત્પત્તિ થાય તેને નૈગમ નય કહેવાય છે. અર્થાત્ લોક પ્રસિદ્ધ અર્થને સ્વીકાર કરવાવાળો નય તે નૈગમનય છે અને લોકપ્રસિદ્ધિ સામાન્ય-વિશેષ ઉભયના ઉદ્ગમથી સંવહિત થાય છે અર્થાત્ લોકમાં જે વ્યવહાર થાય છે તે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ આ રીતે ઉભય ધર્મોને પ્રધાન બનાવીને થાય છે. કોઈવાર વિશેષ 22. “હિં માળેર્દિ મિળત્તિ યે ને મ ય વિસ્તા” (મનુયોર સૂત્ર-૨૩૨) 23. निगमेषु भवोऽध्यवसायविशेषो नैगमः। तद्भवत्वं च लोकप्रसिद्धार्थोपगन्तृत्वम्। लोकप्रसिद्धिश्च सामान्यविशेषाद्युभयोपगमनेन निर्वहति। (नयरहस्य) नैकमानमेयविषयोऽध्यवसायो नैगम इत्येतदर्थः।
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy