SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદ ૧ ૧ ૫ મૂર્તત્વા: આ છ વિશેષ ગુણ છે. ધર્માસ્તિકાયમાં ગતિ હેતુત્વ, અચેતનત્વ, અમૂર્તિત્વ - આ ત્રણ વિશેષ ગુણ છે. અધર્માસ્તિકાયમાં સ્થિતિ હેતુત્વ, અચેતનત્વ, અમૂર્તત્વઃ આ ત્રણ વિશેષ ગુણ છે. આકાશસ્તિકાવમાં અવગાહન હેતુત્વ, અચેતનત્વ, અમૂર્તત્વ: આ ત્રણ વિશેષગુણ છે. કાલમાં વર્તનાહેતુત્વ, અચેતનત્વ, અમૂર્તત્વ. આ ત્રણ વિશેષ ગુણ છે. અહીં ઉલ્લેખનીય છે કે, ચેતનત્વ-અચેતનત્વ, મૂર્તત્વઅમૂર્તત્વ : આ ચાર ગુણ સ્વજાતિની અપેક્ષાએ સામાન્ય ગુણ છે અને વિજાતીયની અપેક્ષાએ વિશેષ ગુણ છે. અર્થાત્ પ્રત્યેક જીવોમાં ચેતનત્વ હોય છે, એટલે સ્વજાતિની અપેક્ષાએ ચેતનત્વ સામાન્ય ગુણ છે. જીવ સિવાય અન્ય પાંચ દ્રવ્યોમાં ચેતનવ નથી, તેથી ચેતનત્વ જીવને બાકીના પાંચ દ્રવ્યોથી (વિજાતીયથી) વ્યાવૃત્ત કરતો હોવાથી વિશેષ ગુણ છે, આ જ રીતે અચેતનત્વ વગેરે ત્રણમાં વિચારી લેવું. અગાઉ જણાવેલ સામાન્ય-વિશેષ સ્વભાવોમાંથી જીવ અને પુદ્ગલમાં તે બધા સ્વભાવ સંગત થાય છે. ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય : આ ત્રણ દ્રવ્યોમાં ચેતન, મૂર્ત, વિભાવ, અશુદ્ધ અને એક પ્રદેશ, આ પાંચને છોડીને સોળ સ્વભાવ સંગત થાય છે. આ સોળ સ્વભાવોમાંથી એક “બહુપ્રદેશ” સ્વભાવને બાદ કરતાં બાકીના પંદર સ્વભાવ કાલમાં સંગત થાય છે. (1) આ રીતે દ્રવ્ય અને તેના ગુણ પર્યાયના વિષયમાં વિચારણા કરી. તેના વિષયમાં વિશેષ ચર્ચા જૈનદર્શનના દ્રવ્યાનુયોગના ગ્રંથોમાં વિસ્તારથી જોવા મળે છે. વિશેષ જિજ્ઞાસુ તે-તે ગ્રંથોથી જાણી લે. સામાન્ય દિશાસૂચન થઈ ગયું. હવે આપણે મૂળ વાત પર આવીશું. 17. વિવિંશતિ બાવા: યુઃ નીવપુયોર્કતા: ધવીનાં રોડ ૩: જો પૐવા મૃત: ||
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy