SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧૦ જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો પોતાને અનિચ્છિત અંશનો પ્રતિક્ષેપ કરતા હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. એટલે તે નય દુર્નયની કક્ષામાં આવી જશે. એવી કોઈને શંકા થઈ શકે છે. પણ આવી શંકા કરવી બરાબર નથી, કારણ કે, તે તે નય સ્વાભિપ્રેત અંશની પ્રધાનતા 14) બતાવવા સુધી જ બીજા અંશનો પ્રતિક્ષેપ કરે છે. પરંતુ ઈતરાંશનો પૂર્ણ અપલાપ કરતાં નથી. ગૌણરૂપમાં તો ઈતર અંશ પણ તેમને માન્ય જ હોય છે. હવે અનુક્રમે પૂર્વોક્ત પ્રશ્નોના સમાધાનના વિષયમાં વિચારીશું. દ્રવ્યાર્થિક નયનું જ્ઞાન કરવામાં દ્રવ્યના સ્વરૂપનું જ્ઞાન પણ આવશ્યક છે. તેથી અહીંયાં દ્રવ્યનું સ્વરૂપ વિચારીશું. દ્રવ્યનું લક્ષણ જણાવતા “સપ્તભંગી નયપ્રદીપ” પ્રકરણમાં કહ્યું છે કે, "अथ द्रव्यलक्षणमाह-सत् द्रव्यलक्षणम्, सीदति-स्वकीयान् गुण-पर्यायान् व्याप्नोतीति सत्, उत्पाद-व्यय-ध्रौव्ययुक्तम् (सत्), अर्थक्रियाकारि च सत्;" "यदेवार्थक्रियाकारि तदेव परमार्थसत्। यच्च नार्थक्रियाकारि तदेव परतोऽप्यसत्।" इति। निजनिजप्रदेशसमूहैरखण्डवृत्त्या स्वभाव-विभावपर्यायान् द्रवति द्रोष्यति, अदुद्रुवदिति द्रव्यम्। गुणपर्यायवद् द्रव्यं वा। गुणाश्रयो द्रव्यं वा। ભાવાર્થ : “સત્' દ્રવ્યનું લક્ષણ છે. સ્વકીય ગુણ-પર્યાયોને જે પ્રાપ્ત કરે છે, તેને “સ” કહેવાય છે. અર્થાત્ જે ગુણ-પર્યાયથી યુક્ત છે તેને દ્રવ્ય કહેવામાં આવે છે. (સહભાવી ધર્મોને ગુણ કહેવાય છે અને ક્રમભાવી ધર્મોને પર્યાય કહેવાય છે. દ્રવ્યને ધર્મી કહે છે.) ઉત્પાદ, નાશ અને સ્થિરતા, આ ત્રણથી યુક્ત હોય તેને “સત્', કહેવાય છે અને તે જ દ્રવ્ય છે. (આ વિષયની વિસ્તૃત ચર્ચા પદર્શન સમુચ્ચય, દ્રવ્ય-ગુણપર્યાયનો રાસ આદિ ગ્રંથોમાં કરવામાં 14. નરૈવંતરાંતિ પર્વતપુર્નવં, તન્નતિક્ષેપપ્રાધાન્યમાત્ર વોપયો II II (ચરણ)
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy