SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદ ૯૭ અપલાપ કરતું નથી, તે વાત યાદ રહે. જો અન્ય ધર્મોનો અપલાપ કરીને (અપેક્ષા ભેદથી રહેલા તે ધર્મોનો એકાંતે નિષેધ ફરમાવીને-અપલાપ કરીને) પોતાને ઈચ્છિત અંશોને જ બતાવે તો તે નયવાક્ય નથી, પણ દુર્નયવાક્ય છે. પ્રશ્ન. નય વાક્યનો આકાર કેવો હોય છે? ઉત્તર. નય વાક્યનો આકાર આ પ્રમાણે છે – “યાતિ ધરઃ” અહીં યાદ રાખવું કે, આ નયવાક્યનો આકાર “ચા” પદથી લાંછિત હોવા છતાં પણ કોઈ પ્રકારે (અપેક્ષાએ) ઘટમાં “અસ્તિત્વ” માત્રને સિદ્ધ કરે છે. અને અસ્તિત્વના સમાનાધિકરણ તેનાથી (અસ્તિત્વથી) અતિરિક્ત અનંતા ધર્મોની ઉપેક્ષા જ થાય છે અર્થાત્ એક ઘટ વસ્તુમાં “અસ્તિત્વ ધર્મ રહેલો છે. તે જ ઘટમાં “અસ્તિત્વ થી અતિરિક્ત બીજા નિત્યસ્વાદિ અનંતા ધર્મ રહેલા છે, જે “અસ્તિત્વ' ના સમાનાધિકરણ ધર્મ છે, તે અનંતા ધર્મોની ઉપેક્ષા કરીને માત્ર ઘટમાં “અસ્તિત્વ ધર્મને સિદ્ધ કરવા માટે જે વાક્ય પ્રયોગ થાય, તેને નયવાક્ય કહેવાય છે. પ્રશ્ન. નયવાક્ય પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે? ઉત્તર. નયવાક્ય પ્રમાણ પણ નથી અને અપ્રમાણ પણ નથી. પરંતુ પ્રમાણનો એક દેશ છે. કારણ કે, નયવાક્ય દ્વારા પ્રમાણ દ્વારા સ્વીકૃત અનંતા ધર્મોમાંથી એક જ “અસ્તિત્વ' ઇત્યાદિ ધર્મનો ગ્રહ થાય છે-સ્વીકાર થાય છે. તેથી નયવાક્ય પ્રમાણનો એક દેશ છે. પ્રમાણવાક્ય એકી સાથે સકલ ધર્મોનો ગ્રહ કરે છે. તેથી નયવાક્ય પ્રમાણ પણ નથી અને નયવાક્ય પ્રમાણ દ્વારા સ્વીકૃત અનંતા ધર્મોમાંથી કોઈપણ ધર્મોનો અપલાપ કર્યા વિના પોતાની અપેક્ષા પ્રમાણેના ઈચ્છિત અંશ (ધર્મ) નો ગ્રહ કરે છે. તેથી અપ્રમાણભૂત પણ નથી.
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy