SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદ ૯૩ ધર્માત્મક વસ્તુતત્ત્વનો બોધ થાય છે. પ્રમાણનો વિષય અનંતધર્માત્મક વસ્તુ-પદાર્થ છે. જે પ્રમાણ દ્વારા જે અનંત ધર્માત્મક વસ્તુ ગ્રહણ થાય છે, તે અનંત ધર્માત્મક વસ્તુના એક અંશને ગ્રહણ કરવાવાળો (ગ્રાહક) નય છે.) નયનું સામાન્ય લક્ષણ, નયના ભેદ-પ્રભેદ અને તેનું સ્વરૂપ તથા નયમાં સપ્તભંગીનું યોજન વગેરે વિષયો પર હવે ક્રમશ: વિચારીશું. જૈનદર્શનના સ્યાદ્વાદને સમજવા માટે નય સમજવો આવશ્યક છે. અનંત ધર્માત્મક વસ્તુના સ્વરૂપને સર્વાગીણ રૂપથી સમજવા માટે વસ્તુના એક-એક ધર્મને અપેક્ષા ભેદથી સમજવો પણ આવશ્યક છે અને વસ્તુના એક-એક ધર્મને ભિન્ન-ભિન્ન અપેક્ષાથી સમજવાનો માર્ગ એટલે નયવાદ છે. નયનું સામાન્ય લક્ષણ : નયનું સામાન્ય લક્ષણ બતાવતાં નયરહસ્ય પ્રકરણમાં કહ્યું છે કે, "प्रकृतवस्त्वंशग्राही तदितरांशाप्रतिक्षेपी अध्यवसायविशेषो नयः।" પ્રકત વસ્તુના એક અંશ (ધર્મ) ને ગ્રહણ કરવાવાળો અને તે વસ્તુના બીજા અંશોનો (ધર્મોનો) પ્રતિક્ષેપ (અપલાપ) ન કરવાવાળા અધ્યવસાય વિશેષને નય કહેવાય છે. જૈનતર્કભાષામાં પણ નયની (પહેલાં કહી તેવી) વ્યાખ્યા કરી છે. "प्रमाणपरिच्छिन्नस्यानन्तधर्मात्मकस्य वस्तुन एकदेशग्राहिणस्तदितरांशाप्रतिक्षेपिणोऽध्यवसायविशेषो नयः।।" (8જેવી રીતે પ્રમાણ જ્ઞાન છે, તેવી રીતે નય પણ જ્ઞાન છે. બંનેમાં 6. મનન્તધર્મજં વધુ પ્રમાવિષસ્જિદ પ (લન સમુચ્ચય-૧૧) 7. પ્રમાણેન વસ્તુસરીતાર્થેવાંશી : || (વયવંદના પપદ્ધતિ:)T. 8. नानास्वभावेभ्यो व्यावृत्यैकस्मिन् स्वभावे वस्तु नयति - प्राप्नोतीति नयः ।।
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy