SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ નયમાર્ગદર્શક સંસ્થાઓને સ્થાપિત કરી હતી. અને પોતાના ઉપકારી ગુરૂનું નિર્મ લ નામ તેની સાથે અંકિત કર્યું હતું. નયચંદ્રની સ્ત્રી સુબોધા શુદ્ધશ્રાવિકા બની ગૃહાવાસમાં રહી હતી. તેણીએ એક શ્રાવિકાશાળાની સ્થાપના કરી તેમાં આવતી શ્રાવિકાઓને ધર્મ નીતિ અને વ્યવહારનું ઉત્તમ શિક્ષણ આપતી હતી. અને તેને નેજ પિતાનું મહાવ્રત માનતી હતી. વીરપુત્ર જિજ્ઞાસુએ પિતાની માતાની આજ્ઞાને આધીન થઈ ગ્રહવાસમાં રહી સારે અભ્યાસ કર્યો હતે. અનુક્રમે આત્માને આ નંદ આપનારી એક સંસ્થા સ્થાપન કરી, તેમાં પિતે મુખ્ય અધિકાર માં જોડાય હતે. તેનામાં વકતૃત્વ શક્તિ સારી હતી, તેથી તે ઉત્તમ વિષયોના ભાષણે કરી લેકેના હદય ઉપર સારી અસર કરતે હતે. જિજ્ઞાસુ સસ નયનું સ્વરૂપ જાણ્યા પછી આહત ધર્મ શાસ્ત્રને ઉ. ત્તમ અભ્યાસી બન્યા હતા. પદાર્થના સ્વરૂપને દર્શાવવાને સ્યાદ્વાદ મતની ભૂમિકામાં તેણે ભારે અભ્યાસ કર્યો હતે, અને તે ઉપર સારા સારા લેખ લખી ભારતીય જન પ્રજાને મહાન ઉપકાર કરતે હતે. તે હંમેશાં પિતાના ભાષણમાં જણાવતે કે, “ધર્મબંધુ એ, જાગ્રત થાઓ, આ પંચમકાળના પ્રભાવથી પથરાઈ ગયેલા પ્રમાને છેડી દે. તમારા પ્રાચીન ધર્મની મહત્તાનું સ્મરણ કરે. સર્વ દર્શનેમાં સર્વોપરિસત્તા ધરાવનારા તમારા સ્યાદ્વાર દર્શનની મહત્તાનું મનન કરે, તમારા દર્શનની ગ્રંથ સમૃદ્ધિ મોટામાં મેટી છે. ભારતવર્ષના સર્વ ધર્મોની અંદર તમે પ્રાચીન પદ લીધેલું છે. સંમતિતર્ક, નયચક્રવાલ, સ્યાદ્વાદ રત્નાકર અને રત્નાકરાવતારિકા વગેરે તમારા ગ્રંથનું અવલોકન કરે, તમારી મનવૃત્તિ તત્વાર્થ ગ્રંથમાં પ્રવેશ કરાવે, પ્રમાણુવાર્તિક, પ્રમાણમીમાંસા, ન્યાયાવતાર, અનેકાંતજ્ય પતાકા, અનેકાંત પ્રવેશ, ધર્મસંગ્રહિણી, અને પ્રમેય રત્નકેશ ઈત્યાદિ તમારા મહાન ગ્રંથના કર્તાઓને આભાર માને, એ ગ્રંથરૂપ અપ્રતિહત શાથી તમારું વીરશાસન ભારતવર્ષ ઉપર મહાન વિજય મેળવે છે.
SR No.022524
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhana Trust
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy