SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ નયમાર્ગદર્શક, ( ૭૭ ) લ અને તરૂણ વીરપુત્રે જ્યારે ધર્મ તથા નીતિ જિલ્લામાં આગળ પડશે, ત્યારેજ વીર ધર્મને વિજય થશે. ધર્મ, વ્યવહાર અને નીતિનું બળ વધારવાને સારી સારી સંસ્થાઓ સ્થાપન કરો વિરશાસનને વિજય વાવટે ફરકાવજો. મહાનુભાવ આનંદસૂરિ આ પ્રમાણે ઉપદેશ આપી વિરામ પામ્યા–તે પછીનયચંદ્ર, સુબેધા અને જિજ્ઞાસુએ શ્રાદ્ધ ત્રિપુટીએ ગુરૂભક્તિનું ગૌરવ ધારણ કરી તેમને પુનઃ વંદના કરી અને વીરશાસનનો ઉત થાય, તેવા વિવિધ જાતના અભિગ્રહે ગ્રહણ કર્યા. ત્રિકરણ શુદ્ધિથી ગુરૂભકિતને ધારણ કરતા, ગુરૂના પ્રભાવની પ્રશંસા કરતા અને જ્યાં સુધી ગુરૂની મનેણમૂર્તિ જોવામાં આવી ત્યાં સુધી વારંવાર સિંહાલેકન કરી ગુરૂપૂર્તિના દર્શન કરતા શ્રાવક નયચંદ્ર, શ્રાવિકા સુબેધા અને શ્રાવક પુત્ર જિજ્ઞાસુ સિદ્ધગિરિની તલેટીમાંથી પ્રસાર થયા. તેઓ વિમલગીરિના શિખરને પુનઃ પુનઃ ભાવપૂર્વક અવલેતા અને તે પર રહેલી પ્રભુની પ્રતિમાઓનું ધ્યાન કરતા ચાલતા હતા. આનંદસૂરિ શ્રાવક નયચંદ્રને પ્રતિબંધ કરવાની પિતાની ધારણા સફળ કરી અને હદયમાં ધારેલી સિદ્ધગિરિની સાત યાત્રાઓ ને પૂર્ણ કરી ત્યાંથી સપરિવાર વિહાર કરી ચાલી નીકળ્યા હતા. નયચંદ્ર પણ કેટલોક સમય તે તીર્થભૂમિમાં કુટુંબ સહિત રહી પિતાના વતન તરફ વિદાય થયો હતો. નયચંદે નિઃશંક થઈ આહંતધર્મની આરાધના કરી હતી. છેવટે પોતાના ધર્મનિષ્ઠ પુત્ર જિજ્ઞાસુને ગૃહભા ૨ સેંપી અને સાતક્ષેત્રોમાં દ્રવ્યને સદુપયેગ કરી નયચંદ્ર ચારિત્ર ધર્મને ધારક બન્યું હતું. તેણે સાત નયના સ્વરૂપને દર્શાવી વિવિધ જાતના ઉપદેશ આપ્યા હતા; ભારતવર્ષની જૈનપ્રજા નયવિજય મુ નિની નિમલ વાણી સાંભળવાને અતિ ઉત્સુક બની હતી તે મહા નુભાવે પિતાના પૂર્વોપકારી ગુરૂ શ્રી આનંદસૂરિની ધર્મકાર્તિને ભારતના ચારે ખૂણામાં પ્રસરાવી હતી. કેટલાક સ્થાનમાં જૈનધર્મની
SR No.022524
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhana Trust
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy