SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૪૯ સારાગસંયમ, દેશવિરતિ, અકામનિર્જર ભાવના બાલતપસી કષ્ટ કરતાં, આયુ બાંધે દેવના; વક્રતા ધરે યોગની વળી, વિસંવાદો ધારતા નામ કર્મ અશુભ બાંધે, વિપરીતે શુભ બાંધતા. (૧૩) અર્થ : બહુ આરંભ અને પરિગ્રહ નરક આયુષ્યના; માયા અને કપટ એ તિર્યંચ આયુષ્યના; અલ્પ આરંભ, પરિગ્રહ, મૃદુતા, સરળતા, એ મનુષ્ય આયુના; શીલરહિતપણું અને વ્રતરહિતપણું એ ચારે આયુષ્યના; સરાગ સંયમ, દેશ વિરતિ, અકામ નિર્જરા, બાલતપ આદિ દેવ આયુષ્યના આશ્રવ છે. યોગની વક્રતા, વિસંવાદન એ અશુભનામ-કર્મના અને તેથી વિપરીત યોગની એકસૂત્રતા અને દંભનો ત્યાગ એ શુભ નામ કર્મના આશ્રવ છે. ભાવાર્થ : પ્રાણીને દુઃખ પહોંચાડવાની સકષાયી પ્રવૃત્તિ તે આરંભ અને વસ્તુની માલિકીમાં મૂછ તે પરિગ્રહ છે. આરંભ અને પરિગ્રહમાં રસવૃત્તિના પરિણામે અશુભ પ્રવૃત્તિ રહ્યા કરે તેથી આ બે નરક આયુષ્યના હેતુ છે. છલ પ્રપંચ, કુટિલતા કપટ, તેમજ સ્વાર્થ ખાતર મિથ્યા દર્શનનો ધર્મ તરીકે ઉપદેશ, શીલનો અભાવ આદિ પણ માયા છે. આ સર્વ તિર્યંચ આયુષ્યના હેતુ છે. અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહના પરિણામ, સ્વભાવમાં મૃદુતા અને સરળતા એ મનુષ્યના સામાન્ય હેતુ છે. વ્રત અને શીલનો અભાવ એ ચારે પ્રકારના આયુષ્યના સામાન્ય હેતુ છે. વ્રત એ મૂળ ગુણ, અને શીલ એ વ્રતના સહાયક હોઈ ઉત્તર ગુણ છે. તેનું વર્ણન અધ્યાય સાતમાં સૂત્ર ૧૬ અને ૧૭માં આવવાનું છે; વ્રત અને શીલના પાલન અર્થે કષાયનો ત્યાગ કરવો તે પણ શીલમાં ગણાય છે. વ્રતની સ્વીકાર પછી આંશિત
SR No.022515
Book TitleTattvarthadhigam Sutram
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRamvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
PublisherDhurandharsuri Samadhi Mandir
Publication Year2001
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy