SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૨) – એ ત્રણે આકાશકુસુમની જેવાં નિરર્થક છે. હવે જે તમે ઈશ્વરને શરીવાળો માને તે જ તેનાં જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્નને જગતની રચનામાં લઈ શકે-વાપરી શકે છે; નહિ તે નહિ. તમે તે તેને શરીરવાળે માનતા નથી ત્યારે તમે એમ કહી શકે કે એનાં જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન જગતની રચનામાં કારણભૂત છે? કર્તવા ભાઈ ! અમે કાંઈ એકલાં જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્નને જગતનાં કારણભૂત માનતા નથી, પરંતુ ઈશ્વર તે ત્રણ વડે જે કાંઈ ક્રિયા કરે છે તેને જ અમે જગતની રચનાનું કારણ માનીએ છીએ. અકતૃધા—કેટલી બધી ભૂલ? એક વાર અને બે વાર તે કહેવાઈ ગયું. હવે ત્રીજી વાર પણ કહીએ છીએ કે, ફક્ત જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન વડે જે શરીર ન હોય તે ક્રિયા જ થઈ શકે નહિ. ભલે ઈશ્વર વા ઈશ્વરને આવે તે પછી તમારું આ કથન શી રીતે સાચું ઠરે? કર્તવા–ભાઈ, ત્યારે એ બધું જાવા દ્યો. અમે તે એમ માનીએ છીએ કે-ઈશ્વરના ઈશ્વરપણાને લીધે જ આ જગતની રચના થઈ રહી છે. અકવા–અરે ! આ વળી શે ગોટાળો? તમે જરા ચેકખું બેલતા જાએ તે ઠીક. અમે પૂછીએ છીએ કે-ઈશ્વરપણું એટલે શું ? શું જાણનારપણું એ ઈશ્વરપણું કે કરનારપણું એ ઈશ્વરપણું? વા એ સિવાય બીજું કાંઈ તે ઈશ્વરપણું? જો તમે માત્ર જાણનારપણને જ ઈશ્વરપણું માનતા હે તે એ જાણનારપણું પણ કેવું સમજવું? માત્ર નર્યું જ જાણનારપણું સમજવું કે સર્વશપણું સમજવું ? કર્તવા --હાલ અમે તે ફક્ત માત્ર નર્યા જાણનારપણને જ ઈશ્વરપણું સમજીએ છીએ અને એને જ જગતની રચનાનું કારણ માનીએ છીએ. અર્દાવા --ભાઈ, તમોએ ઉપર જણાવેલા ઈશ્વરપણાના અર્થથી તે ઈશ્વર ફક્ત જાણનારે જ કરી શકે છે અને કરનાર તે કરી શકતો
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy